SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા અગત્યનાં કામકાજ કે નિર્ણયના અમલ ઉપર દેખરેખ રાખવા આઠ કે નવ જણની કારોબારી સમિતિ પણ નીમવામાં આવતી હોય એમ લાગે છે. બૌદ્ધગ્રંથ ઉપરથી જણાય છે કે, લિચ્છવીઓના સંયુક્ત રાજ્યમાં જે આઠ કુળોના ગણે હતા, તે દરેકમાંથી એક એક પ્રતિનિધિ લઈ આઠ જણની એક લવાદ નીમવામાં આવતી. પરંતુ નિરયાવલિસૂત્ર, કલ્પસૂત્ર, ભગવતીસૂત્ર જેવા જૈન ગ્રંથમાં યુદ્ધ જેવાં અગત્યનાં કામના નિર્ણય માટે નવ લિચ્છવીઓ બોલાવાતા એ ઉલ્લેખ મળે છે. લિચ્છવીઓના નવ કે આઠ ગણેમાં કયા ક્યા છે કે વંશોને સમાવેશ થતો હતા તે અત્યારે કહેવું મુશ્કેલ છે. પરંતુ સૂત્રકૃતાંગમાં (શ્રુત૦ ૨, ૧) રાજાની પરિષદમાં ભોગવંશીય, ક્વિાકુવંશીય, જ્ઞાતૃવંશીય, કૌરવવંશીય, લિચ્છવીવંશીય, અને ઉગ્રવંશીય લેકોનો ઉલેખ છે, તે ઉપરથી તેટલા વશેને એ આઠ નવમાં આપણે જરૂર સમાવેશ કરી શકીએ. આ જાતની ગણસત્તાક પદ્ધતિ તે કાળે નવીન ન હતી. વૈદિક કાળથી જ રાજસત્તાક પદ્ધતિની સાથે સાથે આર્યોમાં આ જાતની ગણસત્તાક પદ્ધતિ ચાલી આવતી હોય એમ જણાય છે. વેદ (૧૦-૮-૧૬) માં જણાવ્યું છે કે, “જેવી રીતે રાજાઓ સમિતિમાં એકઠા થાય છે, તેવી રીતે વૈદ્યમાં ઔષધિઓ ભેગી થાય છે. આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, વૈદિક યુગમાં પણ એવી રાજ્યપદ્ધતિ હતી કે જ્યાં રાષ્ટ્ર એક રાજાની હકૂમત નીચે હેવાને બદલે રાજવ શના અનેક સભ્યની એકત્ર હકુમત હેઠળ હેય. કૌટિલ્યના જમાનામાં (મૌર્ય १. नव मलइ नव लेच्छइ कासीकोसलगा अट्ठारसवि गणरायाणो...: ૨. આચારાંગ (૨:૧ ) માં એક શહેરમાં રહેતાં ઉસકુળ, ભેગકુળ, ઈશ્વાકુકુળ, અને હરિવંશકુળનો ઉલ્લેખ છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy