SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા - બુર-મહાવીરની પહેલાંના ઉપનિષદકાળમાં વિદેહરાજ જનકની કીર્તિ સારી પેઠે તરફ ફેલાયેલી હોય એમ જણાય છે. કેસલ તથા કુરુપાંચાલ દેશના કેટલાય વિદ્વાને અને તત્ત્વો જનક રાજાના દરબારમાં આવી ચર્ચાઓ તથા શરતી વિવાદે કરે છે. બૃહદારણ્યકેપનિષને ત્રીજો ખંડ આ વિવાદની કથાઓથી ભરેલો છે. વળી ઐતરેય બ્રાહ્મણ (૮.૧૪)માં કુરુ રાજાઓને “રાજા” કહ્યા છે, જયારે જનક માટે ઉપનિષદોમાં “સમ્રાટ' શબ્દ વાપરવામાં આવ્યો છે. શતપથ (૫-૧-૧-૧૩) બ્રાહ્મણના જણાવ્યા પ્રમાણે “સમ્રાટ' એ “રાજા” કરતાં ઊંચું પદ છે. આવો કીર્તિ અને પ્રભાવની ઉન્નત કક્ષાએ પહેચેલે વિદેહવંશ ક્યારે લોપ પામ્યા. અને તે આખું રાષ્ટ્ર લિચ્છવીઓને સંયુક્ત રાજ્યમાં જોડાઈ ગયું, તે કહી શકાતું નથી. લલિતવિસ્તર (અ૩) ગ્રંથમાં જણાવ્યું છે કે, વિદેહને છેવટનો રાજા સુમિત્ર હતો અને તેની પાછળ વિદેહનું રાજ્ય વજીએના એટલે કે લિચ્છવીઓના રાજ્ય સાથે જોડાઈ ગયું. મજિઝમનિકાયના અખાદેવસુત્તમાં નિમિના પુત્ર કળારના વખતમાં વિદેહ રાજવ અને અંત આવ્યો એમ જણાવ્યું છે. કૌટિલ્ય પિતાના અર્થ શાસ્ત્રમાં જણાવે છે કે, વિદેહના રાજા કરાલે એક બ્રાહ્મણ કુમારિકા ઉપર અત્યાચાર કર્યો, અને એ રીતે તે તેના રાજ્ય સાથે નાશ પામ્યો. અર્થાત સમૃદ્ધિ અને વિસ્તારની ઉન્નત કક્ષાએ પહોંચ્યા પછી, હમેશની માફક અનાચાર અને અત્યાચારને કારણે તે પ્રતાપી રાજ્યવંશને અંત આવ્યો. ૧. સુરુચિ જાતક (૪૮૯) માં જણાવ્યું છે કે વિદેહ રાજયનો વિસ્તાર ૩૦૦ યોજન હતો, તથા તેમાં ૧૬૦૦૦ ગામો હતાં (જાતક
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy