SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્ત રાયને ત્યાં અત્યાર શ્રી મહાવીર કથા બ્રાહ્મણને પેટે અવતરવા છતાં, મહાવીર સ્વામી પછીથી તે વૈશાલીના સંયુક્ત રાજ્યતંત્રમાં હિસ્સેદાર એવા જ્ઞાતવંશી ક્ષત્રિયોમાંના એક સિદ્ધાર્થ ક્ષત્રિયને ત્યાં ત્રિશલા ક્ષત્રિયાણીને પેટે જન્મેલા પ્રસિદ્ધ થયા. એટલે આપણે અત્યારથી જ ભગવાન મહાવીરના જન્મસ્થાન વૈશાલીની રાજકીય પરિસ્થિતિ વગેરેની માહિતી મેળવી લઈએ. જેથી, મહાવીર સ્વામી જે લકામાં ઊછરીને મોટા થયા, તથા જે પ્રદેશમાં જ પોતાના જીવનને મેટ ભાગ ગાળી તેમણે પોતાનું જીવનકાર્ય આરંળ્યું તેમ જ સમાપ્ત કર્યું, તે બધાને સ્પષ્ટ ખ્યાલ આપણને પ્રથમથી જ પ્રાપ્ત થઈ જાય. ૨. લિચ્છવીઓનું સંયુક્ત રાજ્ય ભરતખંડમાં ઈ. સ. પૂર્વે સાતમા સૈકાના અરસામાં ગંગા નદીને ઉત્તર કાંઠે લિચ્છવીઓનું એક પ્રતાપી ગણસત્તાક રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. તે રાજ્યની ચતુઃસીમા કાંઈક આ જાતની હતી એમ જણાય છે. પૂર્વે અરયમય પ્રદેશ, પશ્ચિમમાં કેસલ દેશ, અને કુસનારા તથા પાવાના મલ્લનાં રાજે; દક્ષિણમાં ગંગા નદી તથા તેની પેલી પાર મગધનું રોજ ને. ઉત્તર કીસ પ ૧. મહાપરિનિખાન સુરંતમાં જણાવ્યા પ્રમાણે મલ્લે શાલવન હિરણ્યવતી નદી પાસે આવેલું હતું. કેટલાક હિરણ્યવતી ગંડક માનીને એવા નિર્ણય ઉપર આવે છે કે, નેપાલમાં ન્ય ગંડક અને પૂર્વ રાષ્ટ્રી નદી ભેગી થાય છે, ત્યાં કુશિનગર–કુચિનાર આવ્યું હોવું જોઈએ. જ્યારે, કેટલાક ગોરખપુર જિલ્લામાં આવેલ કસિયા પાસેનાં ખડેરેને કુશિનગરનાં ખડરે માને છે. ૨. પાવા એટલે કેટલાકને મતે કસિયાથી ૧૨ માઈલ ઉત્તર પૂર્વમાં આવેલું ફઝિલપુર, મહાવીર જ્યાં નિર્વાણ પામેલા રે પાવા તે બિહાર-શરીફ પાસે આવેલું આજનું પાવાપુરી છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy