SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા સુખરૂપી ફળ અપાવનારાં વિશિષ્ટ કર્મો ભોગવી નાખવાનાં હતાં, એટલે મૃત્યુ બાદ એકદમ તે તે પ્રાકૃત નામે દેવલોક વિષે પુષ્પાવત સક નામના શ્રેષ્ઠ વિમાનમાં દેવ થયા. તે છવ્વીસમે ભવ. ત્યાંથી તે કર્મોને ક્ષય થયે, ૨૭ મા છેલ્લા ભાવમાં તે જબુદીપના ભરતક્ષેત્રમાં મનુષ્ય તરીકે અવતર્યા. પરિશિષ્ટ જેને જેમ તીર્થંકર થનારે વસ સ્થાનકે આરાધ્યાની વાત કહે છે, તેમ ઐાદ્ધો બુદ્ધ થનારે દશ પારમિતા” આરાધ્યાનું જણાવે છે. તે દશ નીચે પ્રમાણે છે: દાન, શીલ, નિષ્કમ્ય (વૈરાગ્ય), પ્રજ્ઞા, વીયે, ક્ષાંતિ, સત્ય, અધિષ્ઠાન (અડગતા), મૈત્રી અને ઉપેક્ષા. બોધિસત્વે એ દશે પારમિતાઓ જુદે જુદે જન્મે કે પ્રસંગે કેવી કેવી રીતે સિદ્ધ કરી, તેની રસિક તથા મને વેધક કથાઓ છે. જૈન સાહિત્યમાં નંદન મુનિએ વીશ સ્થાનકે કેવી રીતે કે કેવે પ્રસંગે આરાધ્યાં તે વિષે કશી કથાઓ સ ઘરાઈ નથી. માત્ર એટલે ઉલ્લેખ જ સંઘરાયો છે કે, “પહેલા તથા ચોવીસમા તીર્થંકરે વીસે સ્થાનકે સ્પર્યા છે, અને મધ્યના જિનેશ્વરોએ એક—બે-ત્રણ અથવા સર્વ સ્થાનક સ્પર્યા છે. ત્રીજા તીર્થકર સંભવનાથે પિતાના વિપુલવાહન રાજા તરીકેના ભવમાં દુષ્કાળ વખતે સંધને જમાડી વિયાવૃન્ય નામનું એક સ્થાનક આરાધ્યું હતું અને તીર્થંકર થવાનું કર્મ બાંધ્યું હતું એવી કથા ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં * કથાકાર આ સ્થળે એટલું નાંધતા જાય છે કે, તીર્થકર તરીકે જન્મનારા દેવ સિવાયના બાકીના તમામ દેવ પિતાને ચુત થવાનું નજીક આવતાં, છ મહિના પહેલેથી ત્રાસ પામી વ્યાકુળ થઈ જાય છે. તીર્થંકર થનાર દેવ તો પોતાનાં શાંતિ અને સમભાવ જાળવી રાખે છે – કહે કે- જાળવી રાખી શકે છે. ૧. આવશ્યક નિર્યુક્તિ, ગા. ૧૮૨.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy