SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસમે ભવનનાજની કથા રાજાના સાંભળવામાં આવતાં જ, ગુસ્સે થઈ તેણે નરવિક્રમ કુમારને દેશનિકાલ કરવાનો હુકમ કર્યો. - “રાજકુમાર આ વસ્તુ માટે તૈયાર જ હતા. કારણ કે, એ હાથી રાજાને એટલે બધે પ્રિય હતો કે, રાજ કોઈ પ્રકારે તેના ઉપર કરવામાં આવેલા પ્રહારની ક્ષમા આપી શકે તેમ હતું જ નહીં. કુમાર તે ચાલ્યા, પરંતુ તેની પ્રિયતમા શીલવતી પણ તેની પાછળ ચાલી. કુમારે તેને ઘણું સમજાવી, પરંતુ તેણે તે લમસમયે પિતાના પિતાએ આશીર્વાદ વખતે કુમારને કહેલા બોલ યાદ કરાવ્યા અને કહ્યું કે, તમે મને છાયાની પેઠે તમારી સહચરી કરવા બંધાયેલા છે! નામને નરવિક્રમ પોતાની પત્ની તેમ જ બે પુત્રને લઈને ચાલી નીકળ્યો. “નરસિંહ રાજાએ હુકમ આપતાં તો આપી દીધે, પરંતુ નરવિક્રમ કુમાર નગર છોડી ચાલી ગયાની વાત જાહેર થતાં જ પ્રજાજનોમાં ખળભળાટ મચી ગયે, અને રાજાના અમાત્ય પણ આવો હુકમ કરનાર રાજાની સેવા છેડી દેવા તત્પર થઈ ગયા. રાજાને પણ ક્રોધ ઊતરતાં પોતે કરેલા હુકમની અનુચિતતા સમજાઈ, અને તેણે અમાત્યાદિને શાંત પાડી, કુમારને પાછો આણવા માણસો દોડાવ્યાં; પરંતુ કાંઈ વળ્યું નહીં. કેણ જાણે કુમાર તેના કુટુંબ સાથે કયે રસ્તે ક્યાં નીકળી ગયા, તે કોઈને તેને ભેટે જ થયો નહીં. કુમાર ચાલતો ચાલતે કેટયાધિપતિ લોકોથી ભરપૂર સ્પંદનપુર બંદરે આવી પહોંચ્યો. ત્યાં એક માળીએ તેની મુખાકૃતિ વગેરેથી આકર્ષાઈ તેને તથા તેના કુટુંબને પિતાને ત્યાં આશરો આપ્યો. અને ધીરેધીરે રાજકુમાર તથા શીલવતી તે માળીના બાગમાં કામ કરી, માળાઓ વેચી ગુજારે ચલાવવા લાગ્યાં.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy