SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 4 શ્રી મહાવીર-કથા અને સકળ સૈન્યને છાયા આપવાનું કામ કરે છે. વન બે હાથ જેટલું હોય છે, પણ ચક્રવર્તીની ઈચ્છાનુસાર તે બાર જન વિસ્તારવાળું થાય છે. તેમાં સવારે વાવેલું ધાન સંધ્યાકાળે પાકીને તૈયાર થઈ જાય છે તથા નદી વગેરે ઓળંગવામાં સન્યને હેડીના કામમાં પણ આવે છે. અંદરના એક ધનુષ્ય જેટલું હોય છે. તે ગમે તેવી વિષમ ભૂમિને પણ સરખી બનાવી મૂકે છે. ગમે તેવી કઠણ જમીન ભેદીને તે મામ કરે છે, તેમજ મહાન ગુફાઓનાં પણ દ્વાર ખોલી નાખે છે. માત્ર બે આંગળ પહેલું અને ચાર આંગળ લાંબુ હોય છે. તેને હાથે કે માથે ધારણ કરે, તો સમસ્ત રોગ નાશ પામે છે; ઉપરાંત બાર જન સુધી અજવાળું થાય છે. અતિ સુવર્ણમય હોય છે, તથા ચાર આંગળ લાંબું હેય છે. તે પણ અંધકારને નાશ કરવા વગેરે કામમાં આવે છે. ચક્રવર્તીનાં આ ચૌદ રત્નમાંથી પ્રથમ સાત રન પાંચ વિયવાળાં છે. તેમાંથી સેનાપતિ, ગૃહપતિ, વાર્થીકિ અને પુરોહિત તે ચક્રવર્તીના પોતાના નગરમાં જ ઊપજે છે. ગજ અને અશ્વ એ બે રત્ન વૈતાઢ્ય પર્વતના મૂળમાં ઊપજે છે. અને સ્ત્રીરત્ન વૈતાઢય પર્વત ઉપર આવેલા વિદ્યાધરોના નગરમાં ઊપજે છે. બાકીનાં સાતમાંથી ચક્ર, ખગ્ન, છત્ર અને દંડ એ ચાર રત્ન ચક્રવર્તીની આયુધ શાળામાં ઉત્પન્ન થાય છે. ચર્મ, મણિ અને કાકિણીનો ચક્રવર્તીના લક્ષ્મીભંડારમાં ઉત્પન્ન થાય છે. અલબત્ત, આ સાધને એક વાર પ્રાપ્ત થયાં, એટલે ભરતક્ષેત્રના યે અંડે જીતી લેતાં ચક્રવતીને વાર નથી લાગતી. ૧. પૂર્વ પશ્ચિમ સમુદ્રને અડકત મનાતે આડે પર્વત, કે જે ભરત ક્ષેત્રને ઉત્તર દક્ષિણ બે ભાગોમાં વહેચી નાખે છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy