SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ [પાન ૧૬૪૫ની નેાંધામાં નિર્દેશેલું અને પા· ૨૦૬ ઉપર બીન તરીકે ગણવાનું] સુજાતાની શિક્ષા ઉરુવેલાના પ્રદેશમાં સેનાની નામના એક ઈનામદાર રહેતા હતા. તે જે ગામમાં રહેતા હતા તે ગામનું નામ સેનાનીગ્રામ પાડ્યું હતું. એ ઈનામદારને સુજાતા નામની એક રૂપવતી કન્યા હતી. મને ચેાગ્ય વર મળરો ને પહેલે પુત્ર જન્મશે તેા દેવતાને દૂધની ખીરનું નૈવેદ્ય ધરાવી, ઘણા ભાવથી તેની પૂજા કરીશ,' એવી સુજાતાએ કુમારી અવસ્થામાં પેાતાના ગામની પાડેાશમાં વનદેવતાની આધા રાખી હતી. સુજાતાને મનેરથ પૂરા થયા હતા. તેને ઊંચા કુળને સદ્ગુણી વર મળ્યા હતા. તેને એક દેખાવડા અને તેજસ્વી પુત્ર પણુ થયેા હતા. સુજાતાની જેવી પતિ પર અપાર ભક્તિ હતી, તેવા જ તેના પતિને પણ તેના પર નિતિશય પ્રેમ હતા અને એ પ્રેમ પુત્રલાભથી દ્વિગુણિત થયેા હતેા. સુજાતા આ આનદના ઉત્સાહમાં પેાતાના દેવતાને ભૂલી ન ગ. વૈશાખી પૂર્ણિમાને દિવસે પ્રભાતમાં તેણે દાસીને વનમાં જઈ ત્યાં પેલી દેવતા જે વડના ઝાડ પર રહેતી તેની નીચેની જગા સાફસૂફ્ કરી, પૂજાની તૈયારી કરવાની આજ્ઞા કરી; અને જાતે દૂધની ઉત્તમ ખીર બનાવવાના કામમાં પડી. એધિસત્ત્વને* તપશ્ચર્યાંના આરંભ કર્યાને આજ લગભગ છ વર્ષ થવા આવ્યાં હતાં. આજ સવારે સુજાતાની દેવતા રહેતી હતી તે ઝાડ તળે તે ધ્યાનસ્થ એઠા હતા. કેટલાક વખત સુધી છવાસ્થાવસ્થામાં સાધક દશામાં બુદ્ધ માટે વપરાતુ વિશેષણ. ૫૧
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy