SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ સાચે વણ અને તપથી ઢંકાઈ રહેલું છે, તથા જેઓ જન્મને કારણે લોકમાં બ્રાહ્મણ કહેવાય છે, અને અગ્નિની જેમ પૂજાય છે, તેઓ સાચા બ્રાહ્મણે નથી. તેઓ પોતાને કે બીજાને ઉદ્ધાર કરી શકે તેમ નથી. અમે તે તેને જ બ્રાહ્મણ કહીએ છીએ કે, જેને કુશળ પુરુષોએ આ પ્રમાણે વર્ણવ્યો છે: આવેલામાં જે આસક્તિ નથી કરતો, અને જતાને જે શોક નથી કરતો; આર્ય વચનમાં જે આનંદ પામે છે; આપીને તથા અગ્નિમાં નાખીને શુદ્ધ કરેલા સેના જેવો જે નિર્મળ છે; જે રાગ, દ્વેષ અને ભય વિનાને છે; તપસ્વી છે; શરીરે કૃશ છે; ઈદ્રિયનિગ્રહી છે, જેમાં લોહી અને માંસ સુકાઈ ગયાં છે; જે સુવતી છે તથા નિર્વાણ પામેલ છે; સ્થાવર જંગમ પ્રાણેને બરાબર જાણું લઈ, જે ત્રણે પ્રકારે તેમની હિંસા નથી કરતે; કોધથી, હાસ્યથી, લેભથી કે ભયથી જે અસત્ય વચન નથી બોલ; સચિત કે અચિત્ત કેઈ પણ પદાર્થ – થોડે હે કે ઘણે પરંતુ - બીજાએ આપ્યા વિના જે નથી લેત; મન-વાણું અને કાયાથી દેવ-મનુષ્ય - અને પશુયોનિ વિષયક મ્યુન જે નથી સેવ; પાણીમાં કમળની પેઠે જે કામ ભોગેથી અલિપ્ત રહે છે; જે અલેલુપ છે; જે ભિક્ષાકવી છે; ઘરબાર વિનાને છે, નિકિચન છે, ગૃહસ્થના સંસર્ગ વિનાને છે, તથા પૂર્વ સંબધ ને બંધુઓનો ત્યાગ કરી, જે ફરી તેઓમાં આસક્તિ નથી રાખતો – તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. “પશુઓને બાંધવાં અને હેમવાં વગેરે યજ્ઞકર્મો, તથા તેવું વિધાન કરનારા વેદે પાપકર્મનાં કારણરૂપ હેઈ, દુરાચારી પુરુષને બચાવી શકતાં નથી. કારણકે, કર્મો જ જગતમાં બળવાન છે. માત્ર મંડાવાથી શ્રમણ થવાય નહિ; માત્ર ૐકારથી બ્રાહ્મણું થવાય નહિં; માત્ર અરણ્યવાસથી મુનિ થવાય નહિ; અને માત્ર દાભનાં વસ્ત્રથી તાપસ થવાય નહિ. પણ સમતાથી શ્રમણ,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy