SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ શ્રી મહાવીરકથા રીતે બરાબર સમજીને અને સમયને ઓળખીને તે કુશળ પુરુષ પૂર્વેના મહાપુરુષોએ ન આચરેલાં કર્મો આચરતો નથી. [ આચા) ૧-૨] ૬. જે બંધાયેલાને મુક્ત કરે છે, તે વીર પ્રશંસા [આચા૧-૨ ] ૭. અજ્ઞાનીઓને જે બંધનાં કારણ છે, તે જ જ્ઞાનીને મુક્તિનાં કારણ છે. અને જ્ઞાનીને જે મુક્તિનાં કારણ છે, તે અજ્ઞાનીને બંધનાં કારણ છે. [આચા. ૧-૪] ૮. જેને આ લેકમાં ભેગષણ નથી, તેને અન્ય નિંદ્ય પ્રવૃત્તિ શાની હોય? શું એવા વીરેને ઉપાધિ હોય છે? દ્રષ્ટાને ઉપાધિ નથી હોતી, એમ હું કહું છું. [આચા. ૧-૪] ૯. જેમ સરખી જમીન ઉપર આવેલે, પાણીથી ભરેલે, રજ વિનાનો, અને પિતાને આશરે રહેલાં અનેક જતુઓની રક્ષા કરનારે કઈ એક મોટો ધરે હોય, તેમ આ સંસારરૂપી પ્રવાહમાં જ્ઞાની પુરુષ છે. તે સકળ ગુણસંપત્તિથી પરિપૂર્ણ હોય છે, સમભાવી હોય છે, પાપમળ વિનાનો હોય છે, જગતનાં નાનાં મોટાં સૌ પ્રાણીઓની રક્ષામાં તત્પર હોય છે, તથા તેની બધી ઈદ્રિય વિષમાંથી વ્યાવૃત્ત હોય છે. એવા મહર્ષિઓને આ જગતમાં કશી જ કામના નથી હોતી. તેઓ કાળની વાટ જોતા આ જગતમાં વિચર્યા કરે છે. તેવા કુશળ પુરુષની નજરમાં, તેવા કુશળ પુરુષે બતાવેલી નિઃસંગતામાં, તેવા કુશળ પુરુષના આદરમાં, તેવા કુશળ પુરુષની શિખામણમાં, અને તેવા કુશળ પુરુષની નજીકમાં જ સંયમપૂર્વક રહેવું જોઈએ, તથા તે કુશળ પુરુષના ચિત્તને જ અનુસરવું જોઈએ. તેમની સર્વ પ્રકારે સેવા કરવી જોઈએ, તથા તેમની આજ્ઞાને વશ રહીને જ સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. એમ કરનારે સંયમી ઈનિ પરાજય કરીને સત્ય વસ્તુ જોઈ શકે છે. [આચા. ૧-૫]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy