SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા ૨. જેમ બગલી ઈંડામાંથી પેદા થાય છે, અને ઈંડું બગલીમાંથી પેદા થાય છે, તેમ મેહનું ઉ૫૨ ત્તસ્થાન તૃષ્ણા છે, અને તૃષ્ણાનું ઉત્પત્તિસ્થાન મેહ છે. રાગ અને દ્વેષ એ કર્મનાં બીજ છે; અને તેમનું ઉત્પત્તિસ્થાન મેહ છે. કર્મ જ જન્મમરણનું મૂળ છે; અને જન્મમરણ એ જ દુઃખ છે. જેને મેહ નથી, તેનું દુઃખ ગયું; જેને તૃષ્ણા નથી, તેને મોહ ગયે; અને જેનામાં લાભ નથી, તેની તૃષ્ણ ગઈ જેને લેભ નથી તેને કાંઈ નથી. એ રાગ-દ્વેષ-મોહને નિર્મૂળ કરવાના ઉપાય આ પ્રમાણે છે: દૂધ-દહીં વગેરે દીતિકારક રસો યથેચ્છ ન સેવવા; કેમકે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષ તરફ પક્ષીઓ ટોળાબંધ દોડી આવે છે, તેમ દીપ્ત મનુષ્ય તરફ કામવાસનાઓ દોડી આવે છે જેમ બહુ કાષ્ટવાળા વનમાં પવન સહિત સળગેલે દાવાગ્નિ શાંત થતો નથી, તેમ યથેચ્છ આહાર કરનાર બ્રહ્મચારીને ઈકિયાગ્નિ શાંત થત નથી. અતિ આહાર કેઈને હિતકર નથી. એકાંતમાં રહેનારા, ઓછું ખાનારા, અને ઈનુિં દમન કરનારા પુરુષોને જ રાગરૂપી શત્રુ નથી નમાવી શકતો; પરંતુ ઔષધથી વ્યાધિની પેઠે જાતે હારી જાય છે. [ઉત્તરાડ ૩૨] ૩. જિનપ્રવચનમાં કહેલું છે કે, જેઓ રૂપમાં આસક્ત રહે છે, તેઓ હિંસામાં આસક્ત રહે છે. કર્મનું સ્વરૂપ સમજીને કેઈની હિંસા ન કરવી, અને સંયમવાન થઈ ઉછાંછળા ન થવું. સાધુતાને આકાંક્ષી પુરુષ દરેકના સુખને વિચાર કરી, સમગ્ર લેકમાં કોઈને પણ ન દૂભવે કે ન કેઈની હિંસા કરે. સંયમ તરફ એકમાત્ર લક્ષ્ય રાખતા, અને અસંયમને ઓળંગી ગયેલ એ સંયમી, સ્ત્રીઓમાં વિરત થઈને નિર્વેદપૂર્વક રહે. તે વસુમાન અને જ્ઞાની પુરુષ કોઈ પ્રકારનું પાપકર્મ ન કરે. [આચા. ૧-૫]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy