SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી મહાવીરકથા મારે, કોઈ તેના વાળ ખેંચે, અથવા કોઈ નિંદા કરે તે પણ, તેણે એવા અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોને સમજીને સહન કરવાં જોઈએ. ગૃહમાં, ગામમાં, નગરમાં, જનપદમાં તેમજ તે બધાના આંતરાઓમાં વિચરતા સંયમી અને હિંસક માણસે તરફથી અથવા એમ ને એમ અનેક પ્રકારનાં દુઃખો ઊભાં થાય છે. તે દુઃખેને તે વીર પુરુષોએ સમભાવે સહવાં જોઈએ.' ૩. કેટલાક નબળા મનના પુરુષો ધર્મ સ્વીકારીને પણ પાળી શકતા નથી. અસહ્ય કષ્ટાને સહન ન કરી શકવાથી તેઓ મુનિપણું છોડીને કામે તરફ મમતાથી પાછા ફરે છે. ફરી સંસારમાં પડેલા તે લોકેાના ભેગે વિવાળા હાઈ અધૂરા જ રહે છે. તેઓ તકાળ કે થોડા વખત બાદ મરણ પામે છે, અને પછી લાંબો વખત સંસારમાં રખડ્યા કરે છે. [આચા) ૧-૨] ૪. સામાન્ય જીવનવ્યવહારમાં જેમ અનેક મુશ્કેલીઓ સહન કરવાની હોય છે, તેમ જેને આત્માનું હિત સાધવું છે, તેને એ માર્ગે જતાં કેટલીય મુશ્કેલીઓને વીરતાપૂર્વક સામને કરવાને હેય છે. એ બધાથી ગભરાઈ ગયે કેમ ચાલે? તેણે તે છાણું થાપેલી દીવાલ જેમ છાણાં ઉખેડી નાખવાથી પાતળી થઈ જાય, તેમ પિતાનાં શરીર-મનનાં પડ વ્રતસંયમાદિથી ઊખડી જવાથી તે બંનેને કૃશ થઈ જતાં જેવાનાં છે. તે બધું કંઈ સહેલું નથી. જે સાચો વૈરાગ્યવાન તથા તીવ્ર મુમુક્ષુ છે, સંત પુરૂષાએ શાસ્ત્રમાં બતાવેલ માગને જે અનુસરે છે, તથા જે કઠોર તપસ્વી છે, તે જ ધૂળથી છવાયેલી પંખિણની જેમ પિતાનાં કર્મ ખંખેરી નાખી શકે છે; બીજું કંઈ નહીં. [સૂત્રકૃતાંગ ૧-૨] ૫. ઘણા લેક આવેશમાં આવી જઈ, પ્રથમથી કશી મુશ્કેલીઓને વિચાર કર્યા વિના, ભિક્ષુછવન સ્વીકારી બેસે છે. પછી જ્યારે એક પછી એક મુશ્કેલીઓ આવતી જાય છે, ત્યારે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy