SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી મહાવીર કથા એવા તે શાસ્ત્રજ્ઞ પુરુષ કર્મોને ક્ષય કરી, ઉત્તમ ગતિને પામ્યા છે.. [ઉત્ત. ૧૧] ૧૩. શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનારાએ કામભોગની આસક્તિને ત્યાગીને, પ્રયત્નપૂર્વક બ્રહ્મચર્યનું સેવન કરવું તથા ગુરુની આજ્ઞાનું પાલન કરતા રહી, પ્રમાદરહિત બનીને ચારિત્રની શિક્ષા પ્રાપ્ત કરવી. સમાધિના મૂળ કારણરૂપ ગુરુના સહવાસની શિષ્ય હંમેશાં ઈચ્છા રાખવી. કારણ કે, ગુરુના સહવાસ વિના સંસારનો અંત લાવી શકાતો નથી. મુમુક્ષુ તથા બુદ્ધિશાળી શિષ્ય તે સહવાસની બહાર ન નીકળવું. કારણ કે, પાંખો બરાબર આવ્યા વિના માળાની બહાર ઊડવા પ્રયત્ન કરતાં પંખીનાં બચ્ચાંને જેમ ઢક પક્ષીઓ ઉપાડી જાય છે, તેમ ધર્મની બાબતમાં દઢ ન થયેલા શિખાઉ અનેક હીનધર્મીઓ હરી જાય છે. ૧૪. પિતાને કઠોર શબ્દો કહેવામાં આવે તોપણ, શિષ્ય ગુરુ પ્રત્યે દ્વેષયુક્ત ન થવું. પરંતુ નિદ્રા કે પ્રમાદ સેવ્યા વિના, ગમે તેમ કરી, પોતાના સંશય ટાળવા, નાને-મેટો, તેની ઉપરની કેટીને કે સમાન ઉમરનો-જે કોઈ તેને શિખવાડો હોય, તેને તેણે સ્થિરતાથી આદરપૂર્વક સાંભળ. એટલું તે શું, પણ પોતે ભૂલ કરતો હોય ત્યારે ઘરનું હલકું કામ કરનારી પનિયારી દાસી કે સામાન્ય ગૃહસ્થ પણ તે સુધારે, તો ગુસ્સે થયા વિના તે કહે તે પ્રમાણે કરવું. કારણ કે, વનમાં માર્ગ ન જાણુનારને, માર્ગ જાણનાર રસ્તે બતાવે, તો તેમાં તેનું જ શ્રેય છે, તેમ તેણે પણ સમજવું. ધર્મની બાબતમાં પરિપકવ ન થયેલો શિખાઉ શરૂઆતમાં ધર્મને જાણી શકતા નથી. પરંતુ જિન ભગવાનના ઉપદેશથી સમજણ આવ્યા બાદ, સૂર્યોદય થયે જેમ આંખો વડે રસ્તો દેખી શકાય છે, તેમ તે ધમને જાણી શકે છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy