SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેક-શગ્ય. સમજી લે છે. તેઓ જુએ છે કે, લોકે ખેતર-ઘર-ધન-સંપત્તિમણિ-માણેક વગેરે પદાર્થો તથા શબ્દસ્પર્શ-રૂપ-રસ અને ગંધ વગેરે વિષયોને અને કામભોગને પિતાના માને છે, અને પોતાને તેમના માને છે. પરંતુ ખરું જોતાં તે પદાર્થોને પિતાના કહી. શકાય નહિ. કારણ કે, જ્યારે રોગ, શોક વગેરે પોતે નહિ ઈચ્છેલા, પોતાને નહિ ગમતા, તથા દુઃખપૂર્ણ પ્રસંગે આવે ત્યારે કેઈ પિતાના કામભોગને કહેવા જાય કે, “હે કામભોગો ! આ દુઃખ પૂર્ણ વ્યાધિ વગેરે તમે લઈ લે, કારણકે હું ઘણે દુઃખી થાઉં છું. તો જગતના તમામ કામગો તેનું તે દુખ કે વ્યાધિ લઈ શકવાના નથી. વળી કોઈ વખત માણસને પિતાને જ તેમને છોડીને ચાલ્યા જવું પડે છે, તો કઈ વેળા તે કામ જ તેને છોડીને ચાલ્યા જાય છે. માટે વાસ્તવિક રીતે, તે પ્રિયમાં પ્રિય લાગતા કામો પણ આપણું નથી. અને આપણે તેમના નથી. તે પછી તેમનામાં શા માટે આટલી બધી મમતા રાખવી ? આમ વિચારી, તેઓ તેમને ત્યાગ કરે છે. . વળી ઉપરના પદાર્થો તે બહિરંગ છે; પણ નીચેની વસ્તુઓ તો તેથી પણ વધુ નિકટની ગણાય છે. જેમકે, માતા, પિતા, સ્ત્રી, બહેન, પુત્ર, પુત્રીઓ, પૌત્ર, પુત્રવધુઓ મિત્રો, કુટુંબીઓ, અને ઓળખીતાઓ. માણસ એમ માને છે કે, તે બધાં પિતાનાં સંબંધીઓ છે અને પિતે પણ તેમને છે. પરંતુ, જ્યારે રમ-વ્યાધિ વગેરે દુઃખ આવી પડે છે, ત્યારે બીજાનું દુઃખ બીજે લઈ શકતો નથી, અને બીજાનું કરેલું બીજે ભોગવી શકતો નથી. માણસ એકલે જ મરે છે; અને એકલો જ બીજી એનિઓમાં • જાય છે. દરેકના રાગદ્વેષ તથા દરેકનું જ્ઞાન-ચિંતન- અને વેદના સ્વતંત્ર હોય છે. વળી કોઈ વખત માણસને જ તેમને છોડી ચાલ્યા જવું પડે છે, તે કઈ વખત તે સંબંધીઓ જ તેને છોડી ચાલ્યાં જાય છે. માટે વાસ્તવિક રીતે, તે નિકટ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy