SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી મહાવીર-કથા તેણે પેલું કમળ, તેમજ તેને લેવા જતાં અધવચ કળી ગયેલ પેલે પુરુષ જોયાં. પિતાને તેના કરતાં વધુ જાણકાર અને અનુભવી માની, તે પુરુષ પણ તે કમળ લેવા અંદર ઊતર્યો, અને પ્રથમ પુરુષની માફક જ અધવચ કળી ગયે. તે જ પ્રમાણે પશ્ચિમ દિશામાંથી આવેલા ત્રીજા પુરુષની અને ઉત્તર દિશામાંથી આવેલા ચેથા પુરુષની પણ વલે થઈ. ત્યારબાદ રાગદ્વેષથી રહિત, (સંસારને) સામે પાર પહોંચવાની કામનાવાળા, જાણકાર, કુશળ, એવો કેઈ એક ભિક્ષુ એકાદ દિશામાંથી ત્યાં આવી ચડ્યો. તેણે તે કમળને તથા કળી ગયેલા, ચારે પુરુષોને જોયા. તે સમજી ગયો કે, આ લેકે પિતાને જાણકાર તથા કુશળ માની, આ કમળ લેવા જતાં તળાવના કાદવમાં કળી ગયા છે. પરંતુ આ કમળ એ રીતે લેવા ન જવું જોઈએ. એમ વિચારી, તેણે કિનારા ઉપર ઊભા ઊભા જ બૂમ પાડી : “હે શ્વેત કમળ! અહીં ઊડી આવ !” એટલે પેલું શ્વેત કમળ ઊડીને તેની પાસે આવી પડ્યું. પુષ્કરિણી એ સંસાર છે; તેનું પાણું તે કર્મો અને કાદવ તે કામગો . શ્વેત કમળો તે જનસમુદાય, અને શ્રેષ્ઠ કમળ તે રાજા. જુદા જુદા વાદીએ તે પેલા ચાર પુરુષે. પેલો ભિક્ષુ તે બીજે કાઈ નહિ, પણ સહર્મભિક્ષુએ પાડેલી બમ તે ધર્મોપદેશ; અને કમળનું ઊડી આવવું તે નિવણપ્રાપ્તિ. અથત સહર્મ સિવાય બીજું કાંઈ સંસારમાંથી નિર્વાણુ ન અપાવી શકે. જે બધા વાદીએ પોતે જ કર્મો અને કામજોગોમાં બંધાયેલા હોય છે, તે બીજાને નિવણ અપાવતા પહેલાં પોતે જ સંસારમાં ડૂબી મરે છે. [સૂત્રકૃતાંગ ૨-૧]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy