SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ધિ ૫૧ માત્ર દેખીતા સૌંદર્ય ઉપર જ લુબ્ધ થઈને તમે શે અવિવેક કરવા તત્પર થયા છે?' , મહિલની આ માર્મિક વાણી સાંભળી તે રાજાઓ શરમાઈ ગયા, અને પોતાને અવિવેક દૂર કરી પિતામાં સર્દિક પ્રગટાવવા બદલ મલિને આભાર માનવા લાગ્યા. મહિલએ પણ અવસર જોઈ, પિતાના વાફપ્રહાર ચાલુ રાખ્યાઃ “હે રાજાઓ! મનુષ્યનાં કામસુખ આવા દુગંધયુક્ત શરીર ઉપર જ અવલબેલાં છે. વળી તેનું બાહ્ય સૌંદર્ય પણ સ્થાયી નથી. જ્યારે તે શરીર જરાથી અભિભૂત થાય છે, ત્યારે તેની કાંતિ વિવણું થઈ જાય છે, ચામડી નિસ્તેજ થઈ લબડી પડે છે, આંખ ઊંડી ઊતરી જાય છે, ડાચુ મળી જાય છે, મુખમાંથી લાળ દદડે છે, અને આખું શરીર હાથતાં ચાલતાં થરથર કંપે છે. તે હે દેવાનુપ્રિયો! એ પ્રકારના શરીરથી નીપજતાં કામસુખની કેણુ આસક્તિ રાખે? અને તેમાં મોહ પામે? હે રાજાઓ! આવા વિચારથી જ મેં એ બધાં કામસુખની આસક્તિ તજી, દીક્ષા લેવાનું તથા આજીવન બ્રહ્મચારિણી રહી સંયમધર્મને અનુસરવાનું નક્કી કર્યું છેતો તે વિષે તમારે શું વિચાર છે તે મને કહે.” આ વાત સાંભળી રાજાઓએ નમ્રભાવે કહ્યું, “તારું કહેવું ખરું છે; તારા નિશ્ચયમાં વિશ્વ નાખવાની વાત તો કયાં રહી, અમે પણ તારા જ માર્ગનું અનુસરણ કરવા તૈયાર છીએ.' આમ કહી તે મહાનુભાવ રાજાઓએ પોતપોતાની રાજધાનીમાં જઈ પિતાના પુત્રોને રાજ્યભાર સોંપી, મહિલ પાસે પાછા અવીને તેની જેમ દીક્ષા લીધી અને શિક્ષાન્ત વડે નિવહ કરતાં કરતાં સંયમધર્મનું પાલન કરવા માંડયું. [જ્ઞાતા. ૧-૮]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy