SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા જે મનુષ્યો સ્પર્શેન્દ્રિય વશ ન કરતાં અનેક જાતના સ્પર્શથી લલચાય છે, તેઓ અંકુશથી વીંધાતા હાથીની પેઠે પરાધીન થઈને મહાદના પામે છે. શ્રમણે મધુર કે અમધુર શબ્દોને કાનમાં પ્રવેશ કરતા અટકાવવા કાનમાં પૂમડાં ન નાખતાં, સમભાવ કેળવવાને પ્રયત્ન કરો. શ્રમણે સારાં કે નઠારાં રૂપે પોતાની આંખ સામે આવતાં, તે આંખ ઉપર દ્વેષ કરવાને બદલે સમભાવ કેળવવાનો પ્રયત્ન કરો. શ્રમણે સુગંધ કે દુર્ગધને નાક પાસે આવતાં નાક ચડાવવાને બદલે સમભાવ કેળવવાનો પ્રયત્ન કરો. શમણે જીભ ઉપર સારા કે નરસા રસ આવતાં મેં મરડવાને બદલે સમભાવ કેળવવાનો પ્રયત્ન કરવો. શ્રમણે શરીરને સારા કે નરસા સ્પર્શીને પ્રસંગ પડે ત્યારે હષ્ટ કે તુષ્ટ ન થતાં સમભાવ કેળવવાનો પ્રયત્ન કરવો. [જ્ઞાતા. ૧–૧૭]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy