SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ બરાબર ખ્યા તથા વા બહુ જાણ હાએ વહાણવટીઓએ કાલિદીપે પહોંચતાં વેંત જ જુદી જુદી દિને ઉત્તેજક તે પદાર્થોને ઘોડાઓના સ્થાનની આસપાસ ગોઠવી દીધા, અને વીણા વગેરે વાલો વગાડવા માંડયાં. તે વાલોના અવાજથી મેહિત થયેલા છેડાઓ તે માણસ પાસે આવીને ચૂપચાપ બેસી ગયા, અને સુગંધીએ સૂધવા લાગ્યા, ખાવો ખાવા લાગ્યા તથા પે પીવા લાગ્યા. પછી તેમને બરાબર લુબ્ધ થયેલા જાણીને તે લોકોએ તેમને ગળે અને પગે બાંધીને પકડી લીધા તથા વહાણ ઉપર ચડાવી રાજાની પાસે આયા. રાજાએ તે વહાણવટીઓનું બધું દાણ માફ કર્યું. પછી પેલા ઘોડાઓને રાજના આશ્વમકાએ તેમનાં મેંકાન-વાળ-ખરી-કાંડાં બાંધીને, ચોકડાં ચડાવીને, તેમ ખેંચીને, આંકીને તથા વેલ-નેતર-લતા અને ચાબુક વગેરેના પ્રહારો મારી મારીને સારી રીતે કેળવ્યા અને રાજા પાસે આણ્યા. એ પ્રમાણે જે શ્રમણો અને શ્રમણુઓ અહિંસા, સત્ય વગેરેની પ્રતિજ્ઞાઓ સ્વીકારીને પેલા ઘોડાઓની પેઠે શબ્દ- * સ્પર્શ-રૂપ-રસ અને ગંધમાં આસક્ત થાય છે, મેહ પામે છે, અને તેમને પ્રાપ્ત કરવા વ્યાકુળ બને છે. તેઓ તે ઘડાઓની પેઠે અસહ્ય દુઃખ પામે છે, અને સંસારચક્રમાં ફર્યા કરે છે. જે મનુષ્ય શ્રોત્રેઠિયને વશ થઈને મધુર શબ્દોમાં રાગ કરે છે, તે તેતરની પેઠે પાશમાં બંધાય છે. જે મનુષ્યો ધ્રાણેન્દ્રિયને આધીન થઈ અનેક પ્રકારના ' સુગંધમાં આસક્ત થાય છે, તેઓ મદારીના હાથમાં સપડાયેલા સાપની પેઠે અત્યંત કઠેર વધ-બંધ પામે છે. જે માણસે સ્વાદેજિયને વશ થઈ અનેક પ્રકારનાં લિજજતદાર ખાનપાનમાં ગૃહ બને છે, તેઓ ગલ ગળેલા મત્સ્યની પેઠે તરફડીને મરણ પામે છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy