SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ નંદીફલ ચંપા નગરીમાં ધન્ય નામે એક સમૃદ્ધ તથા કુશળ સાર્થવાહ રહેતો હતો. એકવાર તે સાર્થવાહે વેપાર માટે અહિ૨છત્રા નગરી તરફ જવાને વિચાર કર્યો. તે માટે તેણે અનેક પ્રકારનાં કરિયાણુનાં મોટાં મોટાં ગાડાં ભરાવ્યાં, તથા પ્રયાણની તૈયારી પહેલાં ચંપામાં તેણે ઘોષણા કરાવી કે જે કઈ પરિત્રાજક કે ગૃહસ્થ ધન્ય સાર્થવાહની સાથે અહિચ્છત્રા આવવા ઇચ્છતા હોય, તે ઘણુ ખુશીથી આવી શકે છે. ધન્ય સૌને જોઈતી મદદ કરશે.” એ ઘાષણ સાંભળતાં કેટલાય સાધુ-સંન્યાસી, તથા ગ્રહો ધન્યના સાર્થમાં જોડાયા. પછી નાની નાની મજલે કરતો ધન્ય બધા સાથે સાથે અંગદેશની વચ્ચે થઈ, સરહદ ઉપર આવી પહોંચ્યો. ત્યાં પડાવ નાખ્યા બાદ ભવિષ્યના પ્રવાસમાં રાખવાની સાવચેતીની જાણ માટે તેણે પિતાના સાર્થમાં નીચે પ્રમાણે ઘોષણા કરાવી. “હવે પછીના પ્રવાસમાં વૃક્ષોથી ગીચ એવી એક મોટી અટવી આવનાર છે. તેમાં પુત્ર-પુષ્પ-ફળથી શોભતાં નંદીફળ નામનાં વૃક્ષો આવશે. તે દેખાવમાં ઘણું મનહર હોય છે, પણ જે કઈ તેમની છાયામાં વિસામો લે છે, કે તેમનાં ફળફૂલ ચાખે છે, તેનું અકાળે મૃત્યુ થાય છે. માટે કોઈ પ્રવાસીએ તેમ કરવું નહીં.' પરંતુ સાર્થનાં કેટલાંય માણસો ધન્યની આ વેષણ તરફ લક્ષ્ય ન રાખી, તે વૃક્ષોની છાયા અને ફળફૂલોથી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy