SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ તુંબડાં ભગવાન મહાવીરે કહ્યું: હે ગૌતમ! જેમ કોઈ પુરુષ મોટા, સૂકા, કાણા વિનાના, આખા તુંબડાને દાભથી વીંટે; તેના ઉપર માટીને લેપ લગાવે, પછી તેને તડકે સુકવે, તથા એવી જ રીતે ઉપરાઉપરી આઠ વાર કરે; અને ત્યાર બાદ તેને ઊંડા પાણીમાં ફેકે, તે માટીના આઠ લેપથી ભારે થયેલું તે તુંબડું પાણીની સપાટીની નીચે ચાલ્યું જાય છે. એ જ પ્રમાણે હે ગૌતમ! જીવ હિંસા અસત્ય ચાર્ય, પરિગ્રહ, અબ્રહ્મચર્ય, ક્રોધ, માન, માયા, લેબ વગેરેના કુસંસ્કારોને લીધે ભારે થાય છે. તેવા જ મરણ પામીને અધોગતિએ જાય છે. હવે હે ગૌતમ! પાણીમાં ડૂબેલા તે તુંબડા ઉપરના લેપને પહેલો થર કેરાઈને ઊખડી જાય છે, ત્યારે તે નીચેથી જરાક ઉપર આવે છે. એ રીતે જ્યારે તેની ઉપરના બધા જ રે ઊખડી જાય છે, ત્યારે તે પોતાના મૂળસ્વભાવને – એટલે કે હલકાપણને પામીને સપાટી ઉપર આવી જાય છે. એ જ પ્રમાણે જીવો અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, ક્ષમા, મૃદુતા, સરળતા, અને નિર્લોભતા વગેરેના આચરણથી હિંસા વગેરેના કુસંસ્કારોને ધીરે ધીરે ઓછા કરે છે. તે રીતે જ્યારે તે સંસ્કારે છેક નિર્મળ થઈ જાય છે, ત્યારે આત્મા પિતાના અસલ સ્વભાવમાં આવી જાય છે, અને ઊર્વગતિને પામી, અજરામર બની જાય છે. જ્ઞાતા. ૧-૬]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy