SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ પદર વર્ષે જોઈએ, તથા કલ્યાણકારી મંગળમય દેવતાની જેમ અથવા દેવમંદિરની જેમ તેની ઉપાસના કરવી જાઈએ. એટલે પેઢાલપુત્ર ઉદકે તેમને કહ્યું: “આવા શબ્દો પૂર્વે મેં કદી જાણ્યા નહતા કે સાંભળ્યા નહેાતા, તથા કેઈએ મને કહ્યા નહતા. તેથી હું તે પ્રમાણે વર્યો નથી. પણ તે ભગવાન! હવે એ શબ્દો સાંભળીને મને તે શબ્દો ઉપર પ્રહા, વિશ્વાસ, તથા રુચિ પ્રાપ્ત થયાં છે. અને હું કબૂલ કરું છું કે, તમારું કહેવું બરાબર છે.” એટલે ભગવાન ગૌતમે તેને કહ્યું, “હે આર્ય ! એ શબ્દો ઉપર શ્રદ્ધા-વિશ્વાસ-રૂચિ કર. કારણ, અમે જે કહ્યું, તે બરાબર છે.' પછી પેઢાલપુત્ર ઉદકે કહ્યું, “હે ભગવન્! હું ચાર વ્રતવાળા ધર્મમાંથી નીકળી, તમારી પાસે પાંચ મહાવ્રતવાળા તથા પ્રતિક્રમણવાળા ધર્મમાં આવવા ઇચ્છું છું. [સૂત્રકૃતાંગ ૨-૭] પછી પેઢાલપુત્ર ઉદકે ભગવાન મહાવીર પાસે પાંચ મહાવતવાળો અને પ્રતિકમણુવિધિવાળો ધર્મ સ્વીકાર્યો. [૩૪ મું ચોમાસું] આ વર્ષનું ચોમાસું ભગવાને નાલંદામાં વ્યતીત કર્યું. ૧૦. સુદર્શન શેઠ વર્ષાઋતુ પૂરી થતાં ભગવાન ફરી વિદેહ તરફ ચાલ્યા. વાણિજ્યગ્રામમાં તેમને તે ગામના સુદર્શન શેઠને ભેટે થયે. ૧. પાર્શ્વનાથને ધર્મ પ્રતિક્રમણ વિનાને છે. કારણ કે તેમના સાધુઓ કારણ હોય ત્યારે જ પ્રતિક્રમણ કરે છે, નહીં તો નથી કરતા. અને મહાવીર જિનના સાધુઓ તે કારણ હોય કે ન હોય પણ પ્રતિક્રમણ કરે છે જ. “પ્રતિક્રમણુ” એટલે પોતે જ કરેલાં કર્મ રેજ તપાસી જવાં તથા કાંઈ દેષ થયે હોય તે ગુરુ આગળ તેની કબૂલાત કરી, ફરી તેને ન કરવાના નિશ્ચય સાથે પ્રાયશ્ચિત્ત સ્વીકારવું તે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy