SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા હેમચંદ્રાચાર્યે આ પાંચમા આરાનું વર્ણન કયા મોલિક ગ્રંથ ૩૫રથી કર્યું છે, તે નક્કી કરી શકાતું નથી. પરંતુ પાંચમા આરાનાં ૨૧૦૦૦ વર્ષ પૂરાં થયા બાદ, છઠ્ઠા આરાનાં ૨૧૦૦૦ વર્ષ દરમ્યાન ભારતવર્ષ તથા તેનાં મનુષ્યોની શી સ્થિતિ થશે, તેનું મહાવીરને મુખે મુકાયેલું વર્ણન ભગવતીસૂત્રમાંથી નીચે ઉતાર્યું છે. મહાવીર કહે છે: હે ગૌતમ! દુષમા-દુષમા કાલ જ્યારે અત્યંત ઉત્કટ અવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે ચારે બાજુ દુખી લોકોના હા-હા’ અવાજો સંભળાયા કરશે; દુઃખાર્તા પશુઓના ભાં-ભાં’ શબ્દો સંભળાયા કરશે, અને દુઃખપીડિત પક્ષીઓ કલાહલ ર્યા કરશે. તે કાલના પ્રભાવથી ઘણા કઠોર, ધૂળથી મેલા, અસહ્ય, અનુચિત અને ભયંકર તેમજ ભમરિયા વાયુ (સંવર્તક) વાયા કરશે. એ કાળે વારંવાર ચારે બાજુએ ધૂળ ઊડતી રહેવાથી દિશાઓ રજથી મલિન અને અંધકાર વડે પ્રકાશરહિત તથા ધુમાડા જેવી ઝાંખી દેખાશે. કાલની રૂક્ષતાથી ચંદ્રો અધિક શીતતા આપશે, અને સૂર્યો અત્યંત તપશે. વળી વારંવાર ઘણુ ખરાબ રસવાળા, વિરુદ્ધ રસવાળા, ખારા ખાતર સમાન (ખાટા) પાણીવાળા, અગ્નિની માફક દાહક પાણુવાળા, વિજળીયુક્ત, કરા વરસાવનારા કે પર્વત ભેદનારા અનિમે, વિમેવ, તથા વ્યાધિ-રોગ-વેદના ઉત્પન્ન કરનાર પાણીવાળા અને મનને રુચે નહીં તેવા પાણીવાળા મે તીક્ષ્ણ ધારાઓથી પુષ્કળ વરસશે. તેથી ભારતવર્ષમાં ગામ નગર વગેરે ઠેકાણે રહેવાં મનુષ્યો, ચોપગાં, ખેચર, તેમજ ગામ અને જંગલમાં ચાલતા જ ગમ જીવો તથા બહુ પ્રકારનાં વૃક્ષ, ગુલ્મ, લતાઓ, વેલડીઓ, ઘાસ, શેરડી વગેરે, ધરે વગેરે, શાલી વગેરે, તથા પ્રવાહ અને અંકુરાદિ તૃણુ-વનસ્પતિઓ નાશ પામશે. વૈતાઢય ૧. ભરતક્ષેત્રના મધ્યમાં આવેલો કહેવાતો પર્વત. ચુલ્લ હિમવંત પર્વત ઉપરથી નીકળેલ ગંગા અને સિંધુ નદીઓ એ પર્વતની ગુફામાં થઈને દક્ષિણાર્ધ ભારતમાં દાખલ થાય છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy