SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલકની અતિમ મુલાકાત પૂર્ણભદ્ર એ બે દેવ પ્રગટ થાય. તેઓ શીતલ અને ભીના હાથ વડે આપણા શરીરને સ્પર્શ કરે. તેને જે અનુમોદન કરીએ તો તે આશીવિષરૂપ નીવડે; અને ન કરીએ તે પિતાના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થાય અને પોતાના તેજ વડે શરીરને બાળી નાંખે. પછી તે મનુષ્ય બુદ્ધ અને મુક્ત થાય. પરંતુ, હે આર્યો ! ગોશાલકની એ બધી વાતે બેટી છે; અને માત્ર પિતાના દોષ ઢાંકવા તેણે ઉપજાવી કાઢી છે.' જૈન કથા કહે છે કે, સાત રાત પૂરી થતાં, ગોશાલક પિતે મહાવીરના કરેલા દ્રોહ બદલ, તથા પિતે જિન ન લેવા છતાં પોતાને બહાર જિન તરીકે ઓળખાવ્યા બદલ પસ્તાવ કરતે મરણ પામે. બીજી બાજુ. ભગવાન મહાવીર શ્રાવસ્તીથી નીકળી મેંદ્રિક ગામની બહાર આવેલા સાણકારક નામે ચૈત્યમાં આવીને ઊતર્યો. ત્યાં મહાવીરને મહાન પીડાકારી પિત્તજવરનો દાહ ઊપડ્યો; અને લોહીના ઝાડા થવા લાગ્યા. એટલે લોકોને ખાતરી થવા લાગી કે, હવે ગોશાલકના કહ્યા પ્રમાણે મહાવીર, મૃત્યુ પામશે. તે જ અરસામાં આગળ (પા. ૨૭૮ ઉપર) જણાવ્યા પ્રમાણે જમાલિ પણ પોતાના મોટી સંખ્યાના અનુયાયીઓને લઈને મહાવીરથી છૂટે પડયો; અને ચારે તરફ એવી વાત જ ફેલાઈ ગઈ કે, મહાવીર મુઆ, અને તેમને સંધ વેરણબેરણ થઈ ગયો. તે સમયે ભગવાનને શિષ્ય સિંહ નામે સાધુ થોડે દૂર હાથ ઊંચો રાખી, છ ટંકના નિરંતર ઉપવાસરૂપી તપ કરતો હતો. લેકામાં ચાલતી આ બધી વાત સાંભળી તેને બહુ ઓછું આવ્યું, અને તેણે રુદન કરવા માંડયું. ભગવાન મહાવીરે એ વસ્તુ દૂરથી જાણી લઈ, તેને પોતાની પાસે બોલાવી મંગાવ્યું, અને તેને આશ્વાસન આપતાં જણાવ્યું કે, “હું હમણાં કાંઈ મરણ પામવાને નથી. હજુ તે હું બીજા ૧૬
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy