SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન પ્રમાણભૂત મહાવીરચરિત રચવાના પ્રયત્નમાંથી આ મહાવીર-કથાને જન્મ થયો છે. પ્રાચીન પુરુષનું જીવનચરિત રચવાનું કામ આમ અઘરું જ હોય છે. તેને માટે જોઈતી સામગ્રી બહુ જ ઓછી, છૂટક અને તૂટક હોય છે. જે કાંઈ હોય છે તેમાં પ્રમાણભૂત કેટલું એ ચાળવાનું કામ તે પાછું ઊભું રહે જ છે. તેમાંય જ્યારે કથાનું પાત્ર મહાવીર જેવા મહાપુરુષ અને સંપ્રદાયકાર હેય છે, ત્યારે વળી વિશેષ પ્રકારની મુશ્કેલીઓ ઉમેરાય છે. ગતાનુગતિક કેટલીક માન્યતાઓ, આખ્યાયિકાઓ અને જેને પૌરાણિક કહેવાય તેવી જાતજાતની સામગ્રી તે પાત્રની આસપાસ ઉત્પન્ન થઈ હોય છે. અને એ બધાની ઉપર સાંપ્રદાયિકતાના આદરની નાજુક ભાવનાનું કવચ જડાયું હેય છે. આને લીધે તે સામગ્રીને નાજુક્તાથી અડકવાનું અને અડકીને તારવવાનું રહે છે. આવી મુશ્કેલીમાંથી માર્ગ કાઢ હેય, તે તેવા પુરુષ અંગે પ્રાચીન સાહિત્ય તથા શિલાલેખાદિ વગેરે પ્રમાણભૂત ગણાય તેવી સામગ્રીમાં શું છે, તે પહેલું જોવું જોઈએ. મહાવીરચરિતને અંગે મુખ્યત્વે જૈન અને તત્કાલીન બોલ • જૈન ગ્રંશે વિષે એક ચોખવટ કરવાની રહે છે કે, એ બધા ગ્ર વેતાંબર 2 જ લગભગ છે.દિગંબરે તે અત્યારે જન આગમ તરીકે ઓળખાતા ગ્રંથને પ્રમાણુતા જ નથી. ઉપરાંત, મહાવીરચરિતને અંગે બેત્રણ મુદ્દાઓની બાબતમાં તેમને મતભેદ પણ છે. તેઓ માને છે કે, મહાવીરસ્વામી પ્રથમથી જ સિદ્ધાર્થને ઘેર અવતર્યા હતા - અર્થત ગર્ભહરણું (આગળ પા. ૮૮) થયું નહોતું. બીજે મુદ્દો એ કે મહાવીર સ્વામીએ લગ્ન (આગળ પા. ૧૦૯) કર્યું જ નહોતું – તે બ્રહ્મચારી હતા. અને ત્રીજો મુદ્દો એ કે, મહાવીરરવાની દીક્ષાના વખતથી અચેલક જ હતા. (આગળ પા. ૧૨૧-૨)
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy