SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ મગજમાં ચાંતિ અને વૈશાલીનું યુદ્ધ ૧૭૦ વંસ કર્યો. ચેટક રાજાએ લોઢાની પૂતળી ગળે બાંધી ઊંડા જળમાં પડતું મૂકયું; અને કુણિક ગધેડાના હળ વડે વૈશાલી નગરી ખેડાવી નાખીને પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી. ૨. વૈશાલી નાશ વિષે ઔહ કથા વજજીઓ કેમે કર્યો અજાતશત્રુ વડે જિતાતા નહોતા. છેવટે વસ્યકાર બ્રાહ્મણે બુદ્ધને મળી આવ્યા બાદ અજાતશત્રુને જણાવ્યું કે, “હે રાજા, વછઓ કેમેય જિતાય તેમ નથી; ફક્ત તેમનું મન સંપાદન કરીને અથવા તેમનામાં ફૂટ પાડીને જ કામ લઈ શકાય એમ છે.' ત્યારે રાજાએ કહ્યું કે, તેમનું મન સંપાદન કરવા જતાં તો આપણે ધન-સંપત્તિનું ખર્ચ વેઠવું પડે; માટે ભેદથી જ જીતવાનો કોઈ માર્ગ બતાવ.' ત્યારે તેણે કહ્યું કે, મહારાજ તમે સભામાં વજજી સંબંધી વાત કાઢજે. એટલે હું તમને કહીશ કે, “મહારાજ, તમારે વજઓ ઉપર શા માટે આક્રમણ કરવું જોઈએ ? એ રાજાઓ પોતપોતાના ધંધા વગેરે વડે ભલેને પિતાનું ગુજરાન ચલાવે. ત્યારે તમે એમ કહેજો કે, “કેમ ભલા, આ બ્રાહ્મણ વજજીઓની વાતમાં આડે આવે છે?' તે જ દિવસે પછી હું વછએને ભેટ મોકલાવીશ. તે જ કરીને તમારે મને આરોપી ઠરાવીને મારકૂટ કર્યા વગર માત્ર મારું શિરોમુંડન કરાવી મને નગરની હદ બહાર કાઢી મૂકો. એટલે હું, એ નગરનો ગઢ તથા ખાઈ મેં બધાવ્યાં છે; થોડા જ વખતમાં હું રાજાને સીધે કરીશ, એમ કહીશ. એ સાંભળીને તમારે કહેવું, “જા જા, થાય એ કરી લેજે.' રાજાએ એ પ્રમાણે બધું કર્યું. લિચ્છવીઓ આબાદ છેતરાયા; અને તેઓએ હદ બહાર થયેલા તે બ્રાહ્મણને પિતાને ૧. તેમની સાથે થયેલી વાતચીત આદિ માટે જુઓ આ માળાનું “બુદ્ધચરિત', પુસ્તક. પા. ૩૩૩ ઇ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy