SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવી-કથા તેમની પાસે રહી તેમની અત્યુત્તમ સારવાર કરવા લાગી. તેમને ઉપાડવા, ધોવા, મર્દન કરવું વગેરે કામે તે વેશ્યા જ કરતી. ધીમે ધીમે મુનિ સાજા થતા ગયા તેમ તેમ તે સ્વરૂપવતીને અનાયાસે પ્રાપ્ત થતો અંગસ્પર્શ તેમની મનોવૃત્તિઓ ઉપર અસર પાડવા લાગ્યો. પછી તો તે મુનિ તે વેશ્યાની સાથે જ ચંપામાં આવ્યા. રાજા કુણિકે તે મુનિને વૈશાલી નગરી જલદી ભાગે તેવું કાંઈ કરવાની આજીજી કરી. વેસ્યાથી મેહિત થયેલા તે મુનિ સાધુ વેશે નિર્વિઘે વૈશાલીમાં ગયા. તે દરમ્યાન કુણિકે વિશાલીની આસપાસનો ઘેરે વધુ તીવ્ર બનાવ્યો. કૂલવાલુક મુનિ વૈશાલીમાં ફરતા ફરતા તપાસ કરવા લાગ્યા કે, શા કારણથી આ નગરી જિતાતી નથી. છેવટે તેમના જોવામાં એક સ્તૂપ આવ્યો. તેને જોઈ, તેની પ્રતિષ્ઠાના લગ્ન વિષે તપાસ કરતાં તેમને તેમાં બહુ ઉત્તમ વેગ પડેલા જણાયા. આ કારણે જ આ નગરી ભાગતી નથી એમ તેમને તરત સમજાઈ ગયું. તેથી કોઈ પણ ઉપાયે એ સ્તૂપનો ભંગ કરાવવાનો તેમણે નિશ્ચય કર્યો. વૈશાલીના લોકે કુણિકના ઘેરાથી ત્રાસ્યા તો હતા જ. તેઓ કુલવાલુક મુનિને, ઘેરામાંથી પિતાનો છુટકારે ક્યારે થશે તે પૂછવા લાગ્યા. મુનિએ જણાવ્યું કે, જ્યારે પેલા સૂપને ભંગ થશે ત્યારે તમારે છુટકારો થશે. કારણ, એ સ્તૂપની પ્રતિષ્ઠા મહા નઠારા લગ્નમાં થઈ છે. લોકેએ તરત તે સૂપને ભાગવા માંડ્યો. મુનિએ કુણિકને તે વખતે સંદેશો મોકલી બે કેસ પાછો હટી જવા સૂચના કરી; કૂણિકને એ પ્રમાણે પાછો હઠત જોઈ લોકે બમણા વેગથી સ્તૂપને ભાગવા લાગ્યા. થોડા વખતમાં તે તેમણે તેને ધરમૂળથી ખોદી કાઢ્યો. ત્યાર પછી મુનિની સૂચનાથી કૃણિકે વીજળીવેગે વૈશાલી ઉપર હલ્લો કરી, તેને
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy