SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર-કથા ઉપરથી તેમની સંમતિ માની, તે ચાલી પણ નીકળ્યો. [ જુએ આગળ પા. ૨૬૮ વગેરે]' - ભગવાન ત્યાંથી વત્સદેશ તરફ આગળ વધ્યા, અને કૌશાંબી નગરીમાં આવી પહોંચ્યા. દિવસને છેલ્લે પહેરે તે નગરીમાં એક વિચિત્ર બનાવ બન્યો, અને તે આ અવસર્પિણીનાં દશ આશ્ચર્યોમાં એકનું સ્થાન પામ્યો. તે બનાવ એ હતો કે, તે સ્થળે ચંદ્ર અને સૂર્ય પોતાના સ્વાભાવિક વિમાન સાથે ભગવાન મહાવીરને નમન કરવા આવ્યા. સામાન્ય રીતે તેવા સ્થિર પદાર્થો પિતાના સ્વભાવથી ચલિત થતા મનાતા નથી. તેઓના વિમાનના તેજથી આકાશમાં પ્રકાશ રહેવાથી કે મોડી રાત વીતવા છતાં દિવસ સમજી ત્યાં બેસી રહ્યા. ચંદના સાવી તે રાત્રી પડતાં જ પોતાના પરિવાર સાથે વીર પ્રભુને નમીને ઉપાશ્રયે ચાલી ગઈ. પરંતુ સાધ્વી બનેલી મૃગાવતી રાણું સૂર્યના પ્રકાશ વડે હજુ દિવસ જ છે, એમ સમજી ત્યાં જ રહીં. પછી અચાનક જ્યારે સૂર્યચંદ્ર ચાલ્યા ગયા ત્યારે મોડી રાત થઈ ગયેલી જાણું, કાળાતક્રમના ભયથી ચકિત થઈ તે ઉપાશ્રયે આવી. ચંદનાએ તરત તેને સકી, “તારા જેવી કુલીન સ્ત્રીએ આમ એકલા મોડી રાત સુધી બહાર રહેવું ઘટે?' રાણુ જેવી રાણું; તેને આ ટાણે મર્મવેધક નીવડ્યો. તે કાંઈ જાણું જોઈને તે બહાર રહી નહોતી. પરંતુ એ ટાણાએ જ તેના અંતરનાં પડળને સર્વથા ભેદી નાખવાનું છેવટનું જરૂરી કામ કર્યું. મૃગાવતીને કેવળજ્ઞાન થઈ ગયું. અને તે અંદર આવી સૂઈ ગઈ એવામાં તેણે કેવળજ્ઞાનની શક્તિથી નિદ્રાવશ ચંદનાની પડખે થઈને જતા સર્પ જોયો. તેણે સફાળા ઊઠી ચંદનાને હાથ ઊંચો કરી લીધે, એટલે સર્ષ ત્યાંથી પસાર થઈ ગયો. ચંદના જાગી ઊઠી, તથા “મારે હાથ કેમ પકડડ્યો?” એમ તેને પૂછયું. મૃગાવતીએ સાપની વાત કહી. ચંદનાએ નવાઈ પામી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy