SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસથી ચાવીસમા સુધીનાં વર્ષો ૭૪૭ શ્રેણિક રાજા ત્યાર બાદ ધન્ય સાધુને પ્રદક્ષિણા, નમસ્કારાદિ કરીને બોલ્યા, હે દેવાનુપ્રિય! તમને ધન્ય છે. તમે ભારે પુણ્યશાળી છે. તમે કૃતાર્થ છે, તથા તમે તમારા મનુષ્યજન્મનું ફળ પૂરેપૂરું પ્રાપ્ત કર્યું છે! વખત જતાં ધન્ય સાધુનું શરીર એક જ નબળું થઈ ગયું, ત્યારે તેમણે ભગવાનની અનુમતિથી વિપુલ પર્વત ઉપર જઈ મારણતિક સંખના વ્રત સ્વીકાર્યું, અને એક મહિનાના ઉપવાસ વડે દેહત્યાગ સાથે. તેમને સાધુપણને કુલ સમય ૯ માસ જેટલે હતો. ધન્યની પેઠે ભદ્રા શેઠાણના સુનક્ષત્ર પુત્રે પણ એ જ પ્રમાણે દીક્ષા લીધી હતી. તેના સાધુપણાનો કાળ ઘણા વર્ષનો હતો, એવું સૂત્રકાર નોંધે છે. ૨. કુ કેલિક કાંપિલ્ય નગરીમાં ભગવાન જ્યારે ગયા, ત્યારે ત્યાં કુંડકાલિક નામે તવંગર૧ ગૃહસ્થે તેમની પાસે ગૃહસ્થધર્મની દીક્ષા લીધી. તે ગૃહસ્થ આજીવિક સંપ્રદાયના કેઈ અનુયાયી સાથે તેણે કરેલી ચર્ચા માટે જૈન સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરે પણ તેનાં વખાણ કરી, પિતાનાં સાધુસાધ્વીને તે પ્રસંગ કહી બતાવ્યું હતું તથા જણાવ્યું હતું કે, “જ્યારે આવા ઘરમાં રહેનારા ગૃહસ્થો અર્થ, હેતુ અને પ્રશ્નો દ્વારા અન્યતીથિંકાને નિરુત્તર કરી શકે છે, તે દ્વાદશાંગ ગણિપિટકને ભણનારા તમે તો જરૂર કરી શકો જ.” કુંડલિકે કરેલી ચર્ચાને પ્રસંગ ઉપાસકદશાસૂત્રમાં આ પ્રમાણે સંધરાયો છે: એક વખત કુંડલિક પિતાની અવનિકામાં નિયમ ધારણ કરીને ધ્યાનસ્થ બેઠે હતા, તેવામાં એક દેવે આવીને ૧. તેને પણ છછ હિરણ્યકેટીઓ તથા છ વ્ર હતાં. ૨. જુઓ આ માળાનું “દશ ઉપાસકે” અધ્ય૦ ૬.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy