SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી મહાવીર-કથા તૈયાર થવું! કારણ કે તેમનાં સંબંધીઓના વર્તમાન યોગશ્રેમનો હું નિર્વાહ કરીશ. આ છેષણથી બીજા પણ અનેક વિચારક યુવાને ધન્ય સાથે ભગવાન મહાવીર પાસે ગયા. ત્યાં ગયા બાદ રાજાએ ધન્ય વગેરે યુવાનને આગળ કરી કરીને ભગવાનને કહ્યું, હે દેવાનુપ્રિય! આ ધન્ય તેની માનો એકનો એક છે; તેના અતિ સ્નેહનું પાત્ર છે, અને તેના બીજા હદય જેવો છે. પણ તમારું પ્રવચન સાંભળ્યા બાદ તેની વૃત્તિ વિલાસાદિમાંથી ઊઠી ગઈ છે. તે તમારી સાથે રહી, અહિંસાદિ વ્રતની પાંચ પ્રતિજ્ઞા સ્વીકારવા ઈચ્છે છે. તે માટે તેની માતાએ તેને આપની પાસે મોકલ્યો છે. તે હું તેની માતાની વતી આપને આ શિષ્યભિક્ષા સ્વીકારવા વિનંતી કરું છું,’ તે વખતે બીજા બધા યુવાને માટે પણ તેમનાં માતાપિતાએ આપેલી અનુમતિ રાજાએ ભગવાન પાસે પ્રગટ કરી. પછી ભગવાનના આદેશ પ્રમાણે ધન્ય હંમેશાં સંયમથી વર્તવા લાગ્યો. તેણે ભગવાનના સ્થવિર પાસે સામાયિક વગેરે ચૌદ પૂર્વેનું અધ્યયન કર્યું, તથા ઇદ્રિયદમન અને તપની સવિશેષ સાધના કરી. ધન્ય જે દિવસે પ્રવજ્યા લીધી, તે જ દિવસે તેણે ભગવાન પાસે જઈને કહ્યું, “હે ભગવન! આપ પરવાનગી આપે, તે હું છ-છ ટંકના ઉપવાસ મરતાં લગી કરવા ઈચ્છું છું. છઠ્ઠા ટંકને પારણે પણ હું ભાત વગેરે લૂખું અનાજ જ એક ટંક ખાઈશ; તે પણ એંઠા હાથે આપેલું હશે તે જ લઈશ; તથા ઊતરી જઈને નાખી દેવા જેવું નહીં થઈ ગયું ૧. તેને આયંબિલઆંબલ કહે છે. ૨. અર્થાત મને આપવા માટે હાથ એંઠા કરી ફરી ધોવા ન પડે તેવી રીતે આપેલું.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy