SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા પરણાવવામાં આવ્યું. માતપિતાએ કોડથી પૂરા પાડેલા ભેગો તેમની સાથે ભોગવતો તે વિહરવા લાગ્યો. તેના પિતા વિશાખશ્રુતિ વિશ્વનંદી રાજાને ભાઈ જ હત; પરંતુ રાજાને તેના ઉપર એટલે બધે પ્રેમ હતો કે રાજ્યની બધી જ ભોગલક્ષ્મી વિશ્વભૂતિ વિના સંકેચ ભોગવી શકતા હતા. એટલું તો શું, પરંતુ રાજાનું પુષ્પકરંડક નામનું અત્યુત્તમ ઉદ્યાન તે જ જાણે પચાવી પાડ્યો હતો. જયારે ને ત્યારે તે પિતાની પનીઓ સાથે તે ઉલ્લાનમાં વિહાર કર્યા કરતા; તેથી બીજા કોઈને માટે તે ઉદ્યાનમાં જવું અશકય થઈ ગયું હતું. વિશ્વનંદી રાજાને પિતાની મદનલેખા રાણીથી વિશાખનંદી નામે પુત્ર થયો હતો. તે બિચારે અવારનવાર પુષ્પકરંડક ઉલ્લાનમાં વિહાર કરવાને મનસૂબો કરીને ત્યાં આવતા પરંતુ કદી તે ઉદ્યાનને વિશ્વભૂતિ અને તેના અંતઃપુર વિનાનું ખાલી પડેલું પામતો જ નહીં, એટલે તેને પાછા ફરવું પડતું. એક વખત મદનલેખા રાણુની દાસીએ તે ઉદ્યાનમાં પુષ્પ લેવા આવી; પરંતુ વિશ્વભૂતિ અંદર હોવાથી તેમને ફૂલ લીધા વિના જ પાછા ફરવું પડ્યું. તે વખતે તેમણે વિશાખનંદી કુમારને પણ પિતાની પેઠે પાછો ફરતો જો. આ જોઈ ઈર્ષાથી સળગી જઈ, તેમણે રાણીને ભંભેરી કે, “આખા રાજ્યની તમામ મિલકત તમારા દિયેરના છોકરાની જ થઈ ગઈ લાગે છે. તમારે પુત્ર તે બિચારે ઉદ્યાનના દ્વાર આગળ આવીઆવીને પાછા ફરે છે, અને પેલે વિશ્વભૂતિ નિરાંતે શોરબકેર કરતો અંદર મહાલ્યા કરે છે !” રાણીએ આ સાંભળી રૂસણું લીધું. તે કોપભુવનમાં જઈને જમીન ઉપર આળોટતી પડી. રાજાને ખબર મળતાં તે ત્યાં ગયો અને રાષ્ટ્રને સમજાવવા લાગ્યો. પછી જ્યારે ૧. ત્રિષ્ટિ શ૦ પર્વ ૧ભાં હેમચંદ્રાચાર્યું તેનું પ્રિયંગુ નામ આપ્યું છે. મદનલેખા નામ ગુણચંદ ગણીએ આપ્યું છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy