SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ થી મહાવીરકથા આવીને કહ્યું, “હે ભગવન! હું આપની અનુમતિથી પાંચ સાધુઓની સાથે બહારના દેશોમાં વિહાર કરવા ઇચ્છું છું.” ભગવાનને જમાલિની યોગ્યતા વિષે હજુ ખાતરી ન હેવાથી. અથવા ભવિતવ્યતાના ભણકારા તે સાંભળી શકયા હેય તે કારણે – તેમણે કશો જવાબ ન આપ્યું, પરંતુ મૌન રાખ્યું. જમાલિએ તેમને તે પ્રમાણે ત્રણ વાર કહ્યું, પરંતુ ભગવાન મૌન જ રહ્યા. પછી જમાલિ તેમના મૌનને અનુમતિ ગણું લઈ, પાંચસો સાધુઓ સાથે બહારના દેશમાં ચાલી નીકળ્યો. પ્રિયદર્શના પણ હજાર સાધ્વીઓ સાથે તેની પાછળ ગઈ એક વખત જમાલિએ શ્રાવસ્તીના કોષ્ટક ચિત્યમાં આવી પડાવ નાખ્યો. ભગવાન મહાવીર તે વખતે ચંપા નગરીના પૂર્ણભદ્ર ચિત્યમાં ઊતર્યા હતા. જમાલિને રસરહિત, લૂખું, તુચ્છ, ભૂખ-તરસન કાળ વીતી ગયા પછીનું, પ્રમાણુથી વધારે કે ઓછું એવું તથા વાસી પાનભેજન વાર વાર ખાવામાં આવ્યાથી શરીરમાં મેટો વ્યાધિ થયો. તેનું શરીર પિત્તજ રથી વ્યાપ્ત હોવાથી તેને દાહ પણ થયા. વેદનાથી પીડિત થઈ તેણે પોતાના સાધુઓને કહ્યું. “હે દેવાનુપ્રિયે ! તમે જલદી મારે માટે પથારી પાથરો.” સાધુઓ તરત પથારી પાથરવા લાગ્યા. પરંતુ જમાલપે અત્યંત વેદનાથી વ્યાકુલ થઈ, તેમને ફરી બોલાવીને પૂછયું, “હે દેવાનુપ્રિય! મારે માટે પથારી પાથરી?” ત્યારે તેઓએ કહ્યું કે, હજુ પાથરી નથી, પણ પથરાય છે.' સાધુઓના આ જવાબે, અને અધિકાર વિના અનુકરણ ખાતર કરેલી ઉગ્ર તપશ્ચયીથી આવેલી આ માંદગીએ જમાલિના જીવનમાં વિચિત્ર પલટો આણી દીધે. એ નિરર્થક તપશ્ચર્યાની કિંમત હવે તેને મનથી ઊતરી ગઈ. અને તેણે પોતાને માટે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy