SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા ન્યાયથી પેદા કરેલ અને છતાં ખપે તેવી જ ખાનપાનાદિ ગ્ય વસ્તુઓનું ઉભય પક્ષને લાભ થાય તેવી રીતે શુદ્ધ ભક્તિભાવપૂર્વક સુપાત્રને દાન કરવું તે.૧ આ બાર ઉપરાંત, કષાયનો અંત આણવા માટે તેમને નભવાનાં અને તેમની પુષ્ટિનાં કારણે ઘટાડવાપૂર્વક તેમને પાતળા કરવારૂપ સંખનાદ્રત પણ છે. તે વ્રત ચાલુ શરીરને અંત આવે ત્યાં સુધી લેવાનું હોવાથી તે મારણાંતિક સંલેખના કહેવાય છે. એ વ્રત ગૃહસ્થો પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારી તેને સંપૂર્ણ પાળે છે. મહાવીર સ્વામીએ ઉપાસકદશાસૂત્રમાં ગૃહસ્થ ધર્મનાં વ્રત ઉપદેશ્યાં છે, તેમની સાથે તે વ્રતના અતિચારો ઉપદેશ્યા છે. જે જાતનાં અલનોથી કઈ પણ સ્વીકારેલા ગુણ મલિન થાય, અને ધીરેધીરે હાસ પામી ચાલ્યો જાય, તેવાં ખલને અતિચાર કહેવાય છે. સ્થલ હિંસાદિના ત્યાગ વગેરેની પ્રતિજ્ઞામાં બીજે પણ કેટલો ત્યાગ કેળવવો પડે છે, એ સમજાવવા માટે અને વ્રતનું ગાંભીર્ય ખ્યાલમાં આણવા માટે તેને અતિચારે બતાવવામાં આવ્યા છે. ૧. સ્થલ હિંસાના ત્યાગની પ્રતિજ્ઞા લેનાર શ્રાવકે કોઈને બાંધવો નહીં, કોઈનો વધ ન કર, અંગપ્રત્યંગ ન કાપવું, ગજા ઉપરાંત ભાર ન ભરવો કે કામ ન કરાવવું, તથા કેઈનું ખાનપાન બંધ ન કરાવવું. ૨. સ્થૂલ મૃષાવાદના ત્યાગી શ્રમણોપાસકે કોઈના ઉપર વગર વિચાર્યું આળ ન મૂકવું, કેઈની ગુપ્ત વાત પ્રકાશિત ન કરવી, સ્ત્રીની ગુપ્ત વાતો પ્રકાશિત ન કરવી, ખાટી સલાહ ન આપવી, અને ખોટા લેખ ન કરવા. ૧. આ શિક્ષાવ્રતને તત્ત્વાર્થસૂત્રમાં ક્રમ આ પ્રમાણે છે: ૧. ૫. 3. ૪. ૬. ૨. ૭. ઉવવાઇયસૂત્રમાં ક્રમ આ પ્રમાણે છે: ૩. ૧, ૨, ૪, ૫. ૬. ૭
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy