SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહમાં આગમન ૨૫૯ 6 વંદન તથા નમસ્કાર કરી તે ખેલ્યા, હું ભગવન્ ! આજથી મારું આ શરીર બધા જ સંતશ્રમણાની સેવામાં સમપું છું. ત્યાર બાદ તે ફરીથી પેાતાના સંયમજીવનમાં ઉત્સાહી બન્યા, તથા છેક છેવટે રાજગૃહના વિપુલ પર્વત ઉપર અ ંતિમ તપ વડે જીવનને અંત લાવી દેવતિ પામ્યા. ૫. કુમાર ન દ્રિષણ ભગવાન મહાવીરના રાજગૃહના પ્રથમ વર્ષોંવાસ દરમ્યાન અનેક સ્ત્રી-પુરુષા તેમનાથી આકર્ષાઈ, તેમનાં અને તેમના માનાં અનુયાયી બન્યાં. મેકુમારની પેઠે શ્રેણિક રાજાના બીજો પુત્ર કુમાર નòિષ્ણુ પણ ભગવાન પાસે દીક્ષા લેવા તત્પર થયા. એ કુમાર કઈ રાણીને પુત્ર હતા તે નાંધાયું નથી. પરંતુ તેનું નામ સેચનક હાથી સાથે સકળાયેલું હાઈ, અમર બન્યું છે; કારણ કે, શ્રેણિક રાજાને એ સેચનક હાથી, કે જે પછીથી મગધ અને વૈશાલી વચ્ચેના ઘેર સંગ્રામનું એક નિમિત્ત બન્યા, તેને વશ કરી આપનાર દિષણ કુમાર જ હતા. જંગલી હાથીના એક ટાળાના નાયક હાથી પેાતાના ટાળામાં કાઈ નર બચ્ચાને જીવતા રહેવા દેતા નહીં. એ મીકે કે હું ઘરડા થયા હોઈશ, ત્યારે તે મને મારી નાખી, મારી હાથણીએને સ્વામી બનવા પ્રયત્ન કરશે. પરંતુ એક હાથણી પ્રસવકાળ આવ્યે ત્યારે તે ટેળામાંથી છૂટી પડીને એક તાપસેના આશ્રમમાં જઈ પહોંચી. ત્યાં પ્રસત્ર કર્યા બાદ પેાતાના પુત્રને તે તાપસેાની સંભાળ નીચે રાખી, તે પાછી પેાતાના ટાળામાં ચાલી આવી. તપસ્વીઓનાં પ્રેમ અને સંભાળ હેઠળ ઊછરતા એ હાથી ભારે ક્રીડાશીલ, સમજા ના બળવાન થયે. તાપસે.ની સાથે તે પણ સૂંઢમાં જળ ભરી-ભરીને આશ્રમનાં વૃક્ષો સીચતા. મદમાં આવ્યા બાદ તેણે યુદ્ધ કરીને પેલા ટૂથપતિ હાથીને મારી નાખ્યા. પરંતુ ત્યાર બાદ તે જંગલી બની ગયા, અને -
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy