SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શ્રી મહાવીર કથા યથાકાળે ચેલ્લણને ગર્ભ રહ્યો. સગર્ભાવસ્થામાં એક દિવસ ચેલ્લણને પતિનું માંસ ખાવાને દેહદ થયો. પિતાને થતા આવા દુષ્ટ દેહદ ઉપરથી ગર્ભમાં રહેલા સંતાનને ભવિષ્યમાં પતિ ઉપર સંકટ લાવનાર માની, ચેલ્લણ તે ગર્ભને પાડી નાખવાના ઘણા ઘણા છૂપા પ્રયત્ન કરવા લાગી; પણ તેમાં સફળ નીવડી નહીં. એક બાજુ દેહદની પીડા, અને બીજી બાજુ તે પૂર્ણ થવાની અસંભવિતતા – એ બે વચ્ચે રિબાતી ચેલ્લણાની શરીરકાંતિ ફીકી પડી ગઈ તથા તે ઘણી ઉદાસ બની ગઈ. શ્રેણિક રાજા તેને ઘણું ઘણું પૂછતો, પણ ચેલણ તેને કશો જવાબ આપતી નહીં પછી શ્રેણિકે બહુ આગ્રહ કર્યો ત્યારે ચેલ્લણાએ ખરી વાત કહી દીધી. રાજાએ બુદ્ધિમાન અભયકુમારની સલાહ લીધી. અભયકુમારે રાજાના પેટ ઉપર સસલાનું માંસ બાંધી, તેને ચામડે મઢાવી લીધું. પછી ચેલ્લણ રાક્ષસીની પેઠે એકાંતમાં રાજાના પેટ ઉપરથી તે માંસ તેડ-તોડીને ખાવા લાગી. રાજા તે વખતે કૃત્રિમાણે વેદનાની ચીસો પાડતો મૂછવશ થઈ જતો. રાણુને દોહદ પૂરો થયો, ત્યારે તેને પોતાના કુકર્મનુ ભાન આવ્યું, અને મેં પાપણીએ પતિને મારી ખાધા એ ખ્યાલ આવતાં જ તે શેકથી બેભાન બની ગઈ. રાજાએ તેને સાવધ કરીને તેને પિતાનું અક્ષત શરીર બતાવ્યું, અને તેને આશ્વાસન આપ્યું. નવ માસ પૂરા થતાં રાણુએ એક પુત્રને જન્મ આપ્યો. તેને પિતાનો વેરી સમજી રાણીએ દૂર અશોકવનમાં ફેકાવી દીધે. પરંતુ રાજાના જાણવામાં એ વાત આવતાં, તથા જયેષ્ઠ પુત્રને ત્યાગ કરીએ તો બીજા પુત્રે જ નહીં, એવા વહેમથી રાજાએ તેને પાછો મંગાવી લીધે. તેને અશોકવનમાંથી પાછો આણ્યો હોવાથી રાજાએ તેનું નામ અશોકચંદ્ર પાડયું. તે પુત્ર વનમાં પડ્યો હતો ત્યારે એક કૂકડીએ તેની આંગળી કરડી ખાધી હતી. તે હવે પાકી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy