SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રી મહાવીરકથા યાદ આવતાં, તે ચેન્નણાને રથમાં બેસાડી, મહેલમાં પાછી ગઈ તે દરમ્યાન · શત્રુના ઘરમાં લાંબે વખત રહેવું ઠીક નહીં' એવા પેલા બત્રીસ અંગરક્ષકાના આગ્રહ જોઈ, તથા રથમાં કાઈ સ્ત્રીને બેઠેલી જોઈ, શ્રેણિકે તેને સુજ્યેષ્ટા માનીને રથ હંકારી મૂકયો. સુજ્યેષ્ઠા કરડિયે લઈને સુરંગ આગળ આવી, તા પેાતાની બહેન કે રથ કાંઈ મળે નહી ! પેાતાનેા મનેરથ આમ નિષ્ફળ થયેલા જાણી તેણે તરત બૂમ પાડી કે, દડા, દાડા, મારી બહેન ચેલણાનું હરણ થયું.' ચેટકનાં માણસા તરત સુરંગમાં દોડયાં. સુરંગમાં થયેલા યુદ્ધમાં શ્રેણિકના બત્રીસે અંગરક્ષકે કપાઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં શ્રેણિક સહીસલામત નીકળી ગયેા. માર્ગોમાં ચેલ્લણાને શ્રેણિક તે! સુજ્યેષ્ટા કહીને જ ખેાલાવતા. છેવટે ચેક્ષણાએ તેને તેની ભૂલ જણાવી અને કહ્યું કે, હું તા સુજ્યેષ્ઠાની બહેન છું, સુજ્યેષ્ઠા તા તમારી ઉતાવળમાં પાછળ રહી ગઈ. પરંતુ ચેહ્લલ્યુાને પણ સુજ્યેષ્ઠા જેવી સ્વરૂપવાન તથા પાતા ઉપર આસકેત જાણી, શ્રેણિક રાજાએ હ`પૂર્ણાંક તેની સાથે લગ્ન કર્યું. શ્રેણિક અથવા બિંબિસાર અત્યાર સુધી મુદ્દતા ભક્ત તથા અનુયાયી હતા એમ કહી શકાય. ખુદ્દ ગૃહત્યાગ કરીને નિર્વાણુને મા` રોાધવા નીકળ્યા ત્યારથી જ તે તેમના પ્રત્યે આકર્ષાયે! હતા એ વાત આગળ કહી દીધી છે. [ પા ૧૪૧ ] તથા મુદ્દને જ્યારે તે મા` પ્રાપ્ત થાય, ત્યારે તેમણે પોતાના રાજ્યમાં અવશ્ય આવવું એવું તેણે તેમની પાસેથી વચન લીધું હતું. તે મુજબ જ્યારે મુદ્દે રાજગૃહમાં આવ્યા, ત્યારે તેણે તેમને ભારે આદરસત્કાર કર્યાં હતા, તથા તેમને તથા તેમના ભિક્ષુઓને એકાંતવાસ તરીકે અનુકૂળ થઈ પડશે એમ માની પેાતાનુ વેણુવન નામે ઉઘાન તેમને ભેટ કર્યુ હતું. એ અધી કથા ભૌગ્રંથામાં પ્રસિદ્ધ છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy