SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલ્યપ્રાપ્તિ ર૯ નહીં. હવે તો તું યોગભ્રષ્ટ થયો છે! તપશ્ચર્યાને ત્યાગ કરીને તું પેટ પાછળ પડ્યો, તો તને અમૃતતુલ્ય ધર્મનું જ્ઞાન કેવી રીતે થઈ શકે? બુદ બેલ્યો, “હે ભિક્ષુઓ! આ પહેલાં મેં તમને કદી કહ્યું હતું કે, હું અહંત, તથાગત અને સમ્યફ સંબુદ્ધ થયો છું?” “ “ “ના. તપસ્વીઓએ ઉત્તર આપે. તો પછી આજે હું જે કાંઈ કહું છું તેના પર તમારે વિશ્વાસ બેસો જોઈએ. તમે એક વાર ધ્યાનપૂર્વક મારો ઉપદેશ સાંભળી લો.” ધીરે ધીરે તે પાંચ તપસ્વીઓને વિશ્વાસ બુદ્ધના કહેવા ઉપર બેઠે અને તેઓ તેને ઉપદેશ સાંભળવા તૈયાર થયા. ઉપદેશ સાંભળ્યા બાદ તે પાંચને બુદ્ધના ધર્મોપદેશનું રહસ્ય સમજાયું, અને તેમણે બૌદ્ધધર્મની દીક્ષા પોતાને દેવાની તથાગતને વિનંતી કરી.” ઉપરની કથામાં આવતા બ્રહ્મદેવના રૂપકનો અર્થ કરતાં અ. ધર્માનંદ કોસંબી જણાવે છે : “મિત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા આ ચાર ભાવનાઓને બ્રહ્મવિહાર કહે છે. એ ઉપરથી એમ દેખાઈ આવે છે કે, બ્રહ્મદેવ એટલે એ ચારમાંથી એકાદ મનવૃત્તિ હશે. માતા જેમ ધાવણું છોકરાનું મિત્રીથી (પ્રેમથી) પાલન કરે છે, તે માંદું થાય ત્યારે કરુણાથી તેની સેવા કરે છે, પછી વિદ્યાભ્યાસાદિકમાં તે હોશિયાર થાય એટલે મુદિત અંતઃકરણથી તેને થાબડે છે, અને ત્યાર પછી જ્યારે તે સ્વતંત્રપણે જીવન શરૂ કરે અથવા માતાના મતથી વિરુદ્ધ રીતે વર્તવા લાગે, ત્યારે તેની ઉપેક્ષા કરે છે – કદી તેને ષ કરતી નથી, અને તેને મદદ કરવા હંમેશ તૈયાર હોય છે તે પ્રમાણે જ મહાતમાઓ આ ચાર શ્રેષ્ઠ મને ૧. બુદ્ધચરિત, પા. ૨૩.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy