SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ કૈવલ્યપ્રાપ્તિ ૨૧૩ હાય, તે। એકાદ ઈંદ્રિય નાશ પામ્યા પછી પણ, તે ઈદ્રિયે ભાગવેલા અની સ્મૃતિ જીવને ન રહે.' વાયુભૂતિએ પણ ભગવાનના એ કથનથી સંશયમુક્ત થઈ, મહાવીરનું શરણ સ્વીકાર્યું. . આ ત્રણના સમાચાર સાંભળી વ્યક્ત પડિતે પણ પેાતાને સંશય દૂર કરવા ખાતર - મત્સર તજી મહાવીર પાસે જવાનું યેાગ્ય માન્યું. મહાવીરે તેને જણાવ્યું, હું બ્રાહ્મણ ! જુદાં જુદાં શ્રુતિવચને તથા જુદા જુદા તત્ત્વવાદો સાંભળી, તને એવે સશય થયેા છે કે, આ બધાં સ્થૂળભૂતાના સમુદાયરૂપ આ જગત સ્વપ્નની પેઠે કેવળ શૂન્ય-ખાલી ભ્રમ− તેા નથી શું? પરંતુ હું કહું છું કે, પ્રત્યક્ષ દેખાતું આ સ્થૂલ-સૂક્ષ્મ ભૂતાત્મક જગત વાસ્તવિક છે; અલબત્ત ક્ષણભ`ગુર તથા સતત પરિવર્તનશીલ હાવાના અમાં ભલે તેને સ્વપ્નવત્ કહેા; પરંતુ તત્ત્વતઃ તે છે જ, એમાં શંકા નથી.' વ્યક્ત પંડિતને પણ આવા સન લાગતા પુરુષ પાસેથી સમર્થન મળતાં, જગતની સત્યતા વિષે ખાતરી થઈ ગઈ, અને તે તરત તેમને અનુયાયી બન્યા. હવે સુધર્મો પડિતને વારા આવ્યેા. મહાવીરે તેને કહ્યું, • હું બ્રાહ્મણુ! તને એવા સંશય છે કે, આ જન્મમાં જે મનુષ્ય હેય, તે બીજા જન્મમાં પણ મનુષ્ય થવા જોઇએ કે નહીં; તેમ જ આ જન્મે જે પશુ હોય, તે બીજા જન્મે પણ પશુ થવું જોઈ એ કે નહીં? કારણ કે, કારણને મળતું જ કાર્ય થતું જગતમાં દેખાય છે. પરંતુ હે બ્રાહ્મણ, હું કહું છું કે, કમ અનુસાર જીવ ખીજે જન્મે આ જન્મથી જુદી યેાનિ પણ પ્રાપ્ત કરે છે,' સુધર્માં પણ મહાવીરના અનુયાયી યે. C ત્યાર પછી ડિક પંડિતને વારે આવ્યા. તેને બધ અને મેાક્ષની વાસ્તવિકતાની બાબતમાં સશય હતા. મહાવીરે તેને કહ્યું, હું બ્રાહ્મણ ! હું કહું છું કે, વને અધ તેમ જ મેાક્ષ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy