SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છ વર્ષ તેમનું શરીર આ બધી યાતનાઓ શી રીતે સહન કરી રહ્યું હશે, તેની તે આપણે કલ્પના પણ કરી શક્તા નથી. પરંતુ મેરુ પર્વતના ભાર હેઠળ પણ વીર પુરુષનો સંકલ્પ અડગ અણનમ રહે છે, એમ શાસે કહે છે તેને આ જ અર્થ. અત્યાર સુધીનાં દુઃખ તે મહાવીરે સહન કર્યા. પરંતુ રાત્રી તો પિશાચેને ક્રીડા કરવાને સમય, અને પિશાચ જેવાં નિશાચર પ્રાણીઓ તથા મનુષ્યને પણ વિચારવાનો સમય. તેમના તરફથી આવેલાં દુઃખો તે અત્યંત ભયંકર જ હોય એમાં કહેવું શું? ઉપરાંત આવી ભયંકર રાતે તથા આવા ભયંકર ત્રાસે વચ્ચે પિતાનાં માતા-પિતા યાદ આવે જ. તેમનાં રડતાં મુખ નજર સામે તરવરે, તેમના કાલાવાલાના ભણકાર કાનમાં ગુંજી રહે, એ પણું ખરું જ. અને આખા વખત દરમ્યાન ભયંકર પવન તો પોતાનું કામ કરી જ રહ્યો હોય. મોટી મોટી શિલાઓ અને વૃક્ષો ઉપાડીને દડાની પેઠે ફેકતો એ પવન મહાવીરના શરીરને શું શું નહીં કરી ગયો હોય ? ૧ આવાં ભયંકર દુઃખો સામે તો માણસ ઉગ્ર નિશ્ચયથી પણ, માનો કે, ટકી રહે પરંતુ અનુકૂળ પ્રલોભનેના હુમલા સામે ટકી રહેવું એ ખરેખરું મુશ્કેલ હોય છે. મહાવીરને આ દુષ્કર શરીરકષ્ટ છેડી, સદેહે સ્વર્ગ જેવાં સુખ ભોગવવાની લાલચે પણ તે કાળરાત્રી દરમ્યાન મળી. અને અંતે સર્વ પ્રલેભામાં મુખ્ય એવી દેવાંગના જેવી સ્ત્રીઓ પણ એકાંત જોઈ, કામમાહિત થઈ તેમની સાથે દેહસુખ ભોગવવા અનેક ૧. મૂળમાં આ ફકરામાં આવતા ત્રાસોનો ક્રમ આ પ્રમાણે છે: પિશાચો, વાવ, સિદ્ધાર્થ અને ત્રિશલાનાં સ્વરૂપ, પાસેની છાવણના ઈયાએ પથરા ન મળતાં મહાવીરના પગનો જ ચૂલો બનાવી, વચ્ચે અગ્નિ સળગાવી, ઉપર તપેલી ચડાવવી; એક હરામખોર ચંડાળ પકડેલાં પક્ષીઓનાં પાંજરાં તેમને શરીરે લટકાવવાં ભયંકર વંટોળિયો, અને જોરથી ઊછળતું આવતું કાળચ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy