SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ દા શ્રી મહાવીર કથા સૂત્રકૃતાંગમાં (૧–૪) જણાવ્યું છેઃ માતાપિતા વગેરે કુટુંબીઓને તથા કામને ત્યાગ કરી, પિતાના કલ્યાણ માટે તત્પર બની, નિર્જનસ્થાનમાં જ રહેવાને સંકલ્પ કરનાર ભિક્ષુને, ભિક્ષા તથા ઉપદેશાદિ પ્રસંગે સારી-નરસી અનેક સ્ત્રીઓના પ્રસંગમાં આવવાનું થાય છે. તે વખતે પ્રમાદથી અથવા તે પિતામાં રહેલી વાસનાને કારણે, તે પ્રસંગને વધવા દેનાર ભિક્ષુનું શીધ્ર અધઃપતન થાય છે. અગ્નિ પાસે મૂકેલે લાખને ઘડે જેમ ઓગળી જઈ નાશ પામે છે, તેમ તેમના સહવાસથી તે વિદ્વાન ભિક્ષુ પિતાનાં સમાધિગથી ભ્રષ્ટ થઈ, નાશ પામે છે. માટે પ્રથમથી જ ભિક્ષુએ સ્ત્રીઓ સાથેના પ્રસંગનો ત્યાગ કરવો. ભલે ને પુત્રી હોય, પુત્રવધૂ હોય, પ્રૌઢ હેય, કે નાની કુમારી હોય, તો પણ તેણે તેને સંસર્ગ ન કરો. તથા કોઈ પણ કારણે તેમના નિકટ પ્રસંગમાં અવાય તેવી રીતે, તેમના ઓરડાઓમાં કે ઘરમાં એકલા ન જવું. કારણ, સ્ત્રીસંગ કરી ચૂકેલા તથા સ્ત્રીચરિત્રના અનુભવી બુદ્ધિશાળી પુરુષો પણ સ્ત્રીઓને સંસર્ગ રાખવાથી થોડા જ વખતમાં ભ્રષ્ટ થઈ, દુરાચારીઓની કેટીને બની જાય છે.” ઉત્તરાધ્યયનસૂત્રમાં (૩૨-૧૬) જણાવ્યું છે કે, “ભલે ને મન-વાણું અને કાયાનું બરાબર રક્ષણ કરતા હોય, તથા સ્વરૂપવાન અને અલંકૃત દેવીઓ પણ જેમને #ભ પમાડવાને શાક્તમાન ન હોય; પરંતુ તેવા મુનિઓએ પણ, અત્યંત હિતકર જાણી, સ્ત્રી વગેરેથી રહિત એ એકાંતવાસ જ સ્વીકાર.” આ પ્રમાણે નિયતિવાદને ભલત અર્થ, અને સ્ત્રીસહવાસની જોખમકારક છૂટ એ બે વાતોને કારણે ઊભા થયેલા અનાચારથી ગોશાલક તથા તેને આજીવિક સંપ્રદાય તે જમાનામાં મહાવીર-બુહ જેવા સુજ્ઞ લેકેને હાથે તિરસ્કાર પાઓ હોય, એમ લાગે છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy