SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ગણાચાર્ય, સુવિખ્યાત, યશસ્વી, તીર્થકર, સાધુસંમત, બહુ લોકોને શ્રદ્ધાસ્પદ, ચિરદીક્ષિત' – વગેરે વિશેષણ પામ્યો હોય છે. તત્ત્વશંકાઓથી વ્યાકુળ બનેલો મગધરાજ કણિક જે વિખ્યાત આચાર્યો પાસે શંકાનિવારણ અર્થે જાય છે, તેમાં ગોશાલકને સમાવેશ પણ થાય છે. મહાવીર જિનપદ પ્રાપ્ત કર્યા બાદ જ્યારે પરિભ્રમણ કરવા નીકળે છે, ત્યારે ઉપાસકશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે પિલાસપુરમાં સદાલપુત્ર નામના તવંગર આજીવિકપાસક કુંભારનો તેમને ભેટ થઇ છે. મહાવીર આગળ ઉપર ગોશાલકના સિદ્ધાંતનું ખંડન કરી, સફાલપુત્ર જેવા કેટલાય આજીવિકાપાસકોને તેના માર્ગમાંથી છોડાવી, પોતાના માર્ગમાં લાવે છે, અને અંતે ગશાલકના અકાલ મૃત્યુનું નિમિત્ત બને છે. એટલે અહીં આગળથી જ ગોશાલકે સ્થાપેલા આજીવિક સંપ્રદાય અને સિદ્ધાંત વિષે બને તેટલી માહિતી મેળવતા જઈએ. જેથી, અત્યાર સુધીમાં ગોશાલકનું જે અધૂરું ચિત્ર આપણી સમક્ષ ઊભું થયું છે, તેમાં પણ આવશ્યક ફેરફાર થાય, તથા આગળ ઉપર આજીવિકપાસકે સાથે મહાવીરના મેળાપના જે પ્રસંગો આવે તે સમજવામાં પણ સુગમતા થાય. ૨. શાલકને આજીવિક સિદ્ધાંત ગોશાલકના આજીવિક સિદ્ધાંતનું સળંગ નિરૂપણ કરતો એક પણ ગ્રંથ આજે વિદ્યમાન નથી. જે કાંઈ ઉલેખો અત્યારે મળે છે, તે તેના પ્રતિસ્પર્ધીઓના – અર્થાત જૈન અને બૌદ્ધોના ગ્રંથોમાં જ સંઘરાયેલા છે. તે બધા માત્ર નિંદાત્મક હોઈ, ખોટા ૧. આ ધટનાને મહાવીરે જિનપદ પ્રાપ્ત કર્યાના નવમા વર્ષમાં મૂકી શકાય, અર્થાત તેમના દીક્ષા જીવનના ૨૧મા વર્ષમાં. ગોશાલક સાથેનો તેમને છેવટને મેળાપ તે તેમના જિનપદપ્રાપ્તિના ૧૫માં વર્ષમાં અને દીક્ષાના ર૭મા વર્ષ માં થાય છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy