SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર શ્રી મહાવીર કથા હતા, ત્યાં કેટવાળાએ આવી તેમને પડપૂછ કરવા માંડી. પરંતુ બંનેએ મૌન વ્રત ધારણ કર્યું હોવાથી કેઈએ જવાબ ન આપે. ત્યારે તેમને જાસૂસે ધારી, તે લેકાએ તે બંનેનું મૌન તેડાવવા માટે તેમને બાંધીને કૂવામાં ઉતારી ડૂબકીઓ ખવરાવવા માંડી. પરંતુ મહાવીરને સિદ્ધાર્થના પુત્ર તરીકે ઓળખતી બે પરિવારજકાઓએ તે વખતે આવી પહોંચીને તેમને છોડાવ્યા. ત્યાંથી મહાવીર ચેાથું ચોમાસું કરવા માટે પૃચંપા પધાર્યા. તે ચોમાસ્ત દરમ્યાન તેમણે ચાર માસનો એક ઉપવાસ કર્યો. ત્યાંથી તેઓ કૃતમંગલ નામના નગરે ગયા. તે નગરમાં દરિદ્રસ્થવિર તરીકે ઓળખતા કેટલાક સ્ત્રી-પરિગ્રહાદિવાળા સાંપ્રદાયિકે રહેતા હતા. તેમના મહોલ્લાની વચમાં તેમનું એક મોટું દેવાલય હતું. તેમાં એક ખૂણામાં મહાવીર તથા ગોશાલક ઊતર્યા. રાત્રે પેલા લોકોને મહત્સવ હતા. તેથી તેઓ સ્ત્રીઓ સાથે આવી, મદ્યપાન કરી, નૃત્યાદિ કરવા લાગ્યા. ગશાલક આવાં પાખંડ સાંખી શાને રહે? તેણે તે તરત તે લેકીને તિરસ્કાર કરી, તેમને સંભળાવી દીધું કે, “ક્યાં ધ્યાનઅધ્યયન, અને ક્યાં મદ્યપાન સહિત સ્ત્રીઓને પ્રસંગ ! તમારે આ માર્ગ વળી મોક્ષમાર્ગ કેમને?' અલબત્ત, સત્ય પણ અપ્રિય વસ્તુ સાંભળવી કેને ગમે? એટલે ગોશાલકને ઢોરમાર ખાવો પડ્યો. પરંતુ ત્રણ ત્રણ વાર માર ખાવા છતાં ગોશાલક પોતાના અભિપ્રાયમાંથી ચળ્યો નહીં. ત્યારે છેવટે થાકીને તેઓએ તેને પડતા મૂક્યો. અને તેનું બોલવું સંભળાય નહીં તે માટે વાદ્યોને મેટ ધ્વનિ કરી, તેઓએ પોતાને વિધિ ચાલુ રાખે. ૧. તેમનાં નામ સમા અને જયંતી હતાં. તથા તે નિમિત્તસારી ઉપલ-(જુઓ પા૦ ૧૩૩)ની બહેને હતી.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy