SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ ૧૨૯ તથા શૂલપાણિની વાત સાચી હોય અને તે જોવામાં આવે તે તેને ઉપદેશ આપી, અવતિમાંથી તેના ઉદ્ધારને મા તેને બતાવવાની ઇચ્છાથી, તે સ્થાનમાં જ રાતવાસેા કરી રહ્યા, અને બધા ચાલ્યા જતાં, એકાત્રપણે ધ્યાનસ્થ થયા. પેલેા શૂલપાણિ આ બધી ઘટના જોઈ રહ્યો હતા; પેાતાના સામર્થ્યના અનાદર કરી, પેતાના સ્થાનમાં રાતવાસે રહેવા ઇચ્છાનારને તેની ધૃષ્ટતાનું પૂરું ફળ ચખાડા તે તલપાપડ થઈ ગયા. ધીરે ધીરે તે મહાવીરની નજીક આવ્યેા, તથા પ્રથમ તે અચાનક આભ તૂટી પડતું હેાય તેવા ભયંકર અવાજે તેણે અટ્ટહાસ્ય કર્યુ. ભયાનક કાળરાત્રી, નિર્જન લખ ભખ કરતું એકાંત, સર્વને ગળી ગઈ હાય તેવી અપાર શૂન્યતા એમાં આવે। અચાનક ભયજનક અવાજ, એ વસ્તુ જેવા- તેવાને તા મરણશરણુ જ કરી નાખે. પરંતુ જેણે જીવનના તત્ત્વને અડગ પાયે। અંતરમાં નિશ્ચળ કર્યાં છે, જે તે અડગ તત્ત્વ ઉપર શ્રદ્ધાવાન છે, તથા તેની આંતરિક પ્રતીતિ જેને રામરામ વ્યાપી રહી છે, તે માજીસ ઉપર ભય—શાક, હવેદના આદિ દોમાંથી કાઈ પણ શી અસર કરી શકે? યાર પછી તે ખિજવાયેલા યક્ષે હાથી, પિશાચ, સર્પ આદિ રૂપે! વડે તેમને ખૂબ બિવરાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તે પશુ નિષ્ફળ ગયા. તત્ત્વને જે જાણતા નથી, જેનું ચિત્ત અજ્ઞાન અને તજન્ય વાસનાએથી દૂષિત છે, તથા તે કારણે અન્ય જીવાને ભય—વેદના વધ આદિ આપવા પણ તત્પર છે, તેને આ જગતમાં ચારે તરફ ભય જ ભય છે; પરંતુ જેનું ચિત્ત શાંત છે, જેને કાઈ પણ પ્રાણીને દુ:ખ આપી લેશ પણુ સુખ મેળવવાની વૃત્તિ નથી, ઊલટું જેનું ચિત્ત તે બધાં પ્રત્યે સમતા તથા કરુણાથી વ્યાપ્ત છે, તે પુરુષને સ્થાવર-જંગમ, સત્ય કે કલ્પિત કાઈ પણ સત્ત્વા કે પ્રાણીઓના ભય કુવા? -
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy