SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહત્યાગ ૧ર૧ મિત્ર, જ્ઞાતિ, સ્વજન અને સંબંધી વર્ગને વિદાય કરી, મહાવીરે ત્યાં જ એ નિયમ લીધો કે હવેથી બાર વર્ષ સુધી હું કાયાની સારસંભાળ કે મમતા રાખ્યા વિના, જે કોઈ વિના અને સંકટ આવી પડશે, તે બધાં અડગપણે સહન કરીશ, અને તે તે વિધ્રો નાખનાર પ્રત્યે સમભાવ રાખીશ. આવો નિયમ લઈ તે ત્યાંથી ચાલી નીકળ્યા, અને મુહૂર્ત જેટલો દિવસ બાકી રહ્યો, ત્યારે કુખ્ખારી ગામે આવી પહોંચ્યા. આ જગાએ એક પ્રશ્ન થાય છે કે, ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૩, ૯-૧૩ માં મહાવીરના આચારવિધિને પાશ્વના આચારવિધિથી જુદે પાડી અચેલક–વસ્રરહિત રહેવાનો વિધિ કહ્યો છે. અને એ રીતે તેને પાશ્વના આચારવિધિમાં મહાવીરે કરેલા સુધારા – ફેરફાર રૂ૫ જણાવ્યો છે. તે પછી મહાવીરે ગૃહત્યાગ કર્યા બાદ વસ્ત્ર ધારણું કરેલું કે તે નગ્ન સ્થિતિમાં જ ચાલી નીકળેલા કથાકારે જે રીતે એ પ્રશ્નનું નિરાકરણ રજ કરે છે, તે ઉપરથી જણાયા વિના નથી રહેતું કે, – ચાલુ ] (૭) પહેલા અને છેલ્લા જિનને પાંચ મહાવ્રત હતાં, બાકીનાઓને ચાર હતાં. (૮) પહેલા અને છેલા જિને શીકારેલ સંયમાદિ ચરિત્ર સામાયિક અને છેદો પસ્થાપનીય એમ બે પ્રકારે હતું, અને બાકીનાઓને સામાયિક જ હતું. સમભાવમાં રહેવા માટે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓને ત્યાગ કર, તે “સામાયિક” ચારિત્ર કહેવાય. અને પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિષ્ટ કૃતનો અભ્યાસ કરીને વિશેષ શુદ્ધિ ખાતર જે જીવન પર્વતની ફરી દીક્ષા લેવામાં આવે છે તે, તેમજ પ્રથમ લીધેલ દીક્ષામાં દોષાપત્તિ આવવાથી તેને છેદ કરી, ફરી નવેસર દક્ષાનું જે આપણું કરવામાં આવે તે “પસ્થાપન” ચારિત્ર. ૧. “ ત્યાં જવાના બે રસ્તા હતા; એક સ્થળમાર્ગ અને બીજે જળમાર્ગ. ભગવાન સ્થળમાર્ગે ચાલ્યા.” ભા૦ ૧૧૧. પા. ૧૮૧ આવ. વસાલીથી નાલંદા જતાં રસ્તામાં ૧૭-૧૮ માઈલ ઉપર કસ્મર ગામ છે, તે ફસ્માર હોવાનો સંભવ છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy