SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૦ શ્રી મહાવીર કથા કુટુંબીજને એ ઊભરાતા હૃદયે અને ખચકાતી વાણીએ મહાવીરને આશીર્વાદ આપ્યા કે, “લીધેલા વ્રતમાં અડગ રહેજે, સંકટ અને મુશ્કેલીઓથી ગભરાશે નહીં, તથા એવો પુરુષાર્થ દાખવજે કે જેથી શીધ્ર તમારું લક્ષ સિદ્ધ થાય.' ત્યાર બાદ ભગવાનને પ્રણામ કરી, તેમને એકલા* પિતાને માર્ગે જવા માટે છૂટા મૂકી, સૌ સમુદાય પિતપતાને સ્થાને પાછો ફર્યો. • બીજા તીર્થ કરે તે સેંકડે અને હજારો સાથીઓની સાથે દીક્ષિત થયા હતા, પરંતુ મહાવીર તે એલા જ દીક્ષિત થયા હતા. આ દીક્ષા વગેરે બાબતોમાં જુદા જુદા તીર્થકરોની સરખામણ આ પ્રમાણે કરવામાં આવે છે. (૧) મહાવીર, અરિષ્ટનેમિ, પાર્શ્વ, મલિનાથ, અને વાસુપૂજ્ય એ સિવાયના બાકીના તીર્થ કરે રાજકુળમાં જન્મેલા રાજાઓ હતા, પણું રાજ્યાભિષેકની ઈચ્છા રાખ્યા વિના કૌમાર અવસ્થામાં જ પ્રવ્રજિત થયા હતા. શાંતિનાથ, કુંથુનાથ, અને અરનાથ તીર્થકર તથાચક્રવતી અને પદવીવાળા હતા અને બાકીના તીર્થંકરે માંડલિક રાજાએ જ હતા. (૨) ષભદેવે ચાર હજાર પુરુષો સાથે, પાર્શ્વનાથ અને મલ્લિનાથે ત્રણસે પુરુષ સાથે, વાસુપૂજ્ય સે પુરુષ સાથે, મહાવીરે તે એકલા જ, અને બાકીના તીર્થકરેએ એક હજાર પુરુષોના પરિવાર સહિત દીક્ષા લીધી હતી. (૩) મહાવીર, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, મલ્લિનાથ, અને વાસુપૂજ્ય સ્વામીએ પ્રથમ વયમાં દીક્ષા લીધી, અને બાકીના તીર્થ કરીએ પાછલી વયમાં. (૪) ચોવીસે તીથ રે એક વસે ઘર છોડી નીકળ્યા હતા. (૫) ગાષભદેવે વિનીતા નગરીમાં, અરિષ્ટનેમિએ દ્વારકામાં અને બાકીનાઓએ જન્મભૂમિ વિષે દીક્ષા લીધી હતી. (૬) ત્રષભ સિદ્ધાર્થ નામના વનમાં, વાસુપુજયે વિહારગૃહમાં, ધર્મનાથે વપ્રકામાં, સુવ્રતે નીલગુહામાં, પા આશ્રમપદમાં, મહાવીરે જ્ઞાતવંશીઓના ઉલાનમાં અને બાકીનાઓએ સહસ્ત્રાપ્રવન (આંબાવાડિયા) માં દીક્ષા લીધી હતી. [ચાલ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy