SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા સબડે છે? બૌહદર્શન માણસના સાચા નિર્વાણુસ્વરૂપ ઉપર આધાર રાખી કહે છે કે, તૃષ્ણાથી શા માટે દાઝયા કરે છે ? ત્યારે જૈનદર્શન સર્વ આત્માઓની એકતા તે નહીં પણ સમતાના રોજિંદા અનુભવ ઉપર આધાર રાખી કહે છે કે, અન્ય જીવની હિંસા શા માટે કરો છો? વેદાંતદર્શન એમ માને છે કે, માણસ સ્વભાવે ચિસ્વરૂપ હેઈ, અજ્ઞાનાવરણ પસંદ નહીં કરે, બૌદ્ધદર્શન એમ માને છે કે, માણસ નિર્વાણુસ્વરૂપ હઈ તૃષ્ણાનું શલ્ય પસંદ નહીં કરે; અને જૈનદર્શન એમ માને છે કે, “પિતાના જેવા જ બીજા છો પણ છે' એ સાહજિક અનુભવથી માણસ બીજાની હિંસા કરવાનું પસંદ નહીં કરે. અલબત્ત, ત્રણેનું લક્ષ્ય એક જ છે–જન્મમરણને ત્યાગઃ પણ અપીલ’ જુદી છે. સહેજ વિચાર કરીશું તો જણાશે કે, મહાવીરની “અપીલ’ પણ સમજાય તેવી સુસંગત છે. હું સુખ માટે આટલે પ્રયત્ન કર્યા કરું છું, અને તે દરમિયાન મારા જેવા બીજા જીવો મને દુઃખ દઈ કે મારી નાખી, મારે પ્રયત્ન વંધ્ય કરી મૂકે એ જેમ હું પસંદ ન કરું, તેમ બીજા છો પણ મારા દ્વારા થતી તેવી બાધા કેમ પસંદ કરે? માટે મારી સુખની શોધ એવી તો ન જ હોવી જોઈએ કે જેથી બીજા છાની સુખની શોધમાં બાધાકારક નીવડે. પરંતુ મારા સુખ માટેના આરંભમાત્ર કોઈ ને કોઈ રીતે અન્ય જીવોની હિંસામાં પરિણમે જ છે; કારણ કે શરીરનું અસ્તિત્વ પોતે જ અન્ય જીવોની હિંસા વિના શક્ય નથી. એટલે શરીરને રાખી તેના સુખ માટે હું કોઈ પણ પ્રયત્ન એ નથી કરી શકવાનો કે જે સંપૂર્ણ રીતે અહિંસક હેય. વળી હિંસક પ્રયત્ન દ્વારા આત્યંતિક સુખ પ્રાપ્ત થવાની કેઈ સૂરત પણ દેખાતી નથી; કારણ કે, હું જેમ મારા સુખ માટે બીજા જીવોની હિંસા કરવા ઇચ્છું, તેમ તે બીજા છે પણ પિતાના સુખ માટે મારી હિંસા
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy