SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહત્યાગ મહાવીરના ગૃહજીવન ઉપર પડેલો આ અંધારપડદે છેક છેવટે ત્યારે જ ઊપડે છે, જ્યારે મહાવીર અઠ્ઠાવીસ વર્ષના થતાં તેમનાં માતાપિતા સ્વર્ગે સિધાવે છે, અને એ રીતે મહાવીર તેમના જીવનકાળ દરમ્યાન દીક્ષા ન લેવાની પ્રતિજ્ઞામાંથી મુક્ત થાય છે. તે વખતે તેમના મોટા ભાઈ નદિવર્ધન તેમને હજુ બે વર્ષ વધારે ગૃહજીવનમાં રહેવા આગ્રહ કરે છે, જેથી તે દરમ્યાન માતપિતાના દેવલેકવાસથી આખા કુટુંબને થયેલો ઘા રુઝાઈ જાય, અને મહાવીરના ગૃહત્યાગથી પડનાર નવો જ કારણે ઘા વેઠવાની બધામાં શક્તિ આવે. કોણ જાણે શાથી, મહાવીર મોટાભાઈના આ આગ્રહને પણ વશ થાય છે, અને પોતાના ગૃહત્યાગને સમય બીજાં બે વર્ષ જેટલો લંબાવે છે. આયુષ્યને ક્ષણભંગુર માનનારે પુરુષ સગાંસબંધીના હંમેશ ચાલુ રહેનારા આગ્રહને આટલું બધું માન વારંવાર આપ્યા કરે, એ વસ્તુ સૂચક છે, અને કદાચ મહાવીરના સ્વભાવની એક વિશિષ્ટ બાજુ પ્રગટ કરે છે. વૈરાગ્યવૃત્તિની પ્રબળતા હોવા છતાં પણ વડીલો પ્રત્યેના બહુમાનને લુપ્ત થવા ન દેવું, તેમ જ સમયને ઓળખી, પોતાના નિશ્ચિત જીવનપથમાં ખલેલ આવવા દીધા વિના સમજૂતી કરી લેવાનું ઔદાર્ય દાખવવું, એ કઈ વિવેકી તેમ જ ભાવપૂર્ણ હદયનું જ કામ છે. કદાચ એ આંતરિક સાચા વૈરાગ્યનું દ્યોતક પણ છે. જો કે, તે બે વર્ષને ગાળે મહાવીર પિતાના આગામી કઠોર તપસ્યા-જીવનની તૈયારીમાં જ ગાળે છે. કેમકે, ત્યારથી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy