SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ એ મહાવીર કથા પોતાના મિત્રોને જણાવ્યું કે, “હું તે ક્યારને સાધુ થઈ ગૃહત્યાગ કરવાનો વિચાર કર્યા કરું છું. પરંતુ મારી માતાને મારા ઉપર જે ઉત્કટ સ્નેહ છે, તેને અસહ્ય ધક્કો ન લાગે તે ઈરાદાથી જ તેમના જીવતાં એમ ન કરવું એવી ગાંઠ વાળી બેઠે છું. પરંતુ એ વસ્તુસ્થિતિ જાણવા છતાં તેઓ જે મને લમબંધનથી સંસારમાં કાયમને જકડવા ઈચ્છે, તો તો તેમણે મારા માતુનેહ ઉપર અત્યાચાર જ કર્યો કહેવાય.' સિદ્ધાર્થ તથા ત્રિશલા હવે વિમાસણમાં પડ્યાં. જે વસ્તુની તેમને ઊંડે ઊંડે આશંકા હતી તે જ આગળ આવી. છેવટે તેમણે વર્ધમાનના માતુનેહને જ વટાવીને તેને ગૃહજીવનમાં જકડવાનો નિર્ણય કર્યો. ત્રિશલા પોતે વર્ધમાન પાસે આવ્યાં. માતાપુત્ર વચ્ચે કેણ જાણે એવું અકથ્ય નેહબંધન હતું કે, મહાવીરને સમજાવવામાં ત્રિશલાને કશી વધારે રકઝક કરવી ન પડી. વર્ધમાને તરત જ કબૂલ કર્યું કે, તમારે એવો જ આગ્રહ હોય, તો હું કઈ રીતે તેને નકારી શકું તેમ નથી. પરિણામે યશોદા સાથે વર્ધમાનનું લગ્ન થયું. યથાકાળે તેમને પ્રિયદર્શના નામની એક પુત્રી થઈ તથા યોગ્ય કાળે તેને તે જ, નગરના જમાલિ નામના ક્ષત્રિયકુમાર સાથે પરણવામાં આવી. તે જમાલિ વર્ધમાનનાં મોટાં બહેન સુદર્શનને જ પુત્ર થતું હતું. તેને પણ પ્રિયદર્શનાથી શેષવતી કે યશસ્વતી નામની કન્યા થઈ કથાકારે તે વર્ધમાનનું સાંસારિક જીવન તેમને સાંસારિક પરિવાર ગણું બતાવીને જ આ પ્રમાણે ટૂંકમાં પતવે છે. જેમકે, વર્ધમાનના પિતા કાશ્યપ ગેત્રના હો, તથા ત્રણ નામથી પ્રસિદ્ધ હતાઃ સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. વર્ધમાનની માતા વસિષ્ઠ ગોત્રનાં હતાં તથા ત્રણ નામે પ્રસિદ્ધ હતાં: ત્રિશલા,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy