SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા એ વસ્તુ કદી તેમને વિસ્મૃત થઈ જ નહતી, એ બાબતને આચારાંગસૂત્રની શરૂઆતના ભાગમાં જ એક અણધાર્યો ટેકે મળી જાય છે; અને વર્ધમાનની યુવાવસ્થા કેવા કેવા વિચારે કે કૃત્યોમાં પસાર થઈ હશે તે શોધવાની ચાવી પણ સાથે સાથે આપણને મળી જાય છે. મહાવીર ભગવાને કહ્યું છે કે, જગતમાં કેટલાય લોકોને એવી ખબર નથી હોતી કે તે ક્યાંથી આવેલા છે અને કયાં જવાના છે. પોતાનો આત્મા જન્માંતામી છે કે નહીં, તેમજ તે કાણુ હતા અને હવે પછી શું થવાના છે એ પણ તેઓ નથી જાણતા હતા. પરંતુ કેટલાક લોકો સહજસ્મૃતિથી’ અથત પૂર્વજન્મોની સાહજિક સ્મૃતિથી પિતે કયાંથી આવ્યા છે કે કયાં જવાના છે તે જાણતા હોય છે. પોતાનો આત્મા જન્માંતરગામી છે, તે વિવિધ દિશાઓમાં કે પેનિઓમાં (કર્માનુસાર) ભટક્યા કરે છે, અને પિતે તે આત્મા જ છે એમ પણ તે જાણતા હોય છે.” વર્ધમાનને એવું જાતિસ્મરણનાન હતું એમ કહેવાનો અર્થ એ કે, યુવાવસ્થાથી જ તેમની સાંપરાયષ્ટિ સતેજ હતી, અને તેથી પિતે કોણ છે, ક્યાંથી આવ્યા છે, અને ક્યાં જવાના છે – ઇત્યાદિ જીવનવિષક પ્રશ્નોનું તેમને કદી વિસ્મરણ થતું નહીં. તેવા પુરુષને તે હરવખત એ ખ્યાલ મેજુદ હોય છે જ કે, “મનુષ્યજન્મ મળવો દુર્લભ છે. સામાન્ય રીતે છો વિવિધ કામનાઓથી મૂઢ બની, અનેક કર્મો કરી, પરિણામે સંસારમાં અનેકવિધ મનુષ્યતર નિમાં જન્મ પામ્યા કરે છે. તેમ કરતાં કરતાં ઘણે લાંબેકાળે, ક્રમે કરીને, કઈ વાર શુદ્ધિ પામેલા વિરલ છ કર્મોને નાશ કરી શકાય તેવું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે.' [ઉત્ત. ૩] મનુષ્યજન્મરૂપી આ અવસર અનુપમ છે. કારણ કે, મનુષ્ય જન્મથી ચુત થનારને પછી સમ્યગજ્ઞાન થવું દુર્લભ છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy