SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાવસ્થા વધમાન યુવાવસ્થામાં, “સાત હાથ ઊંચા બલિ ક્ષત્રિય કુમાર બન્યા હશે, તે પણ તેમની આચારવિચારધારા અન્ય યુવાનેથી જુદી– અસામાન્ય – હશે એમ કલ્પી શકાય છે. શસ્ત્રવિદ્યામાં પારંગત થઈ, બીજાઓની સરસાઈ કરી, કેમ આગળ આવવું, તથા રાજખટપટમાં પડી રાજાધિરાજ થવું એ જાતના વિચાર કરવાને બદલે તે જુદી જ જાતના પરાક્રમની સાધના કરવાનો વિચાર કરતા હશે. “પ્રાણુઓના નાશ માટે શસ્ત્રવિદ્યા શીખવામાં કે કામભગો માટે માયાદિ આચરવામાં કે સંચમરહિતપણે વેરભાવયુક્ત બની આત્માનું અહિત થાય એવી પ્રવૃત્તિઓ મન-વચનકાયાથી આચરવામાં દાખવેલું પરાક્રમ સંસાર પ્રાપ્ત કરાવનાર હોય છે. સમજુ માણસ તે સમજે છે કે, શ્રેષ્ઠ પુરુષોએ કહેલા તથા મુક્તિમાર્ગે લઈ જનારા આર્ય ધર્મનું શરણું લઈ, પાપકર્મ રૂપ કાંટાને મૂળમાંથી ખેંચી કાઢવા પ્રબળ પુરુષાર્થ કરે, એ જ સાચું વીરત્વ છે.” [ સૂત્રકૃતાંગ ૧-૮] આવા આવા આત્મભુખ વિચારે તે યુવાવસ્થાથી કે તે પહેલાંથી પણ કરતા હતા કે નહીં, તેને કશે પુરાવો કથાકારે આપતા નથી. પરંતુ તેઓએ જે એક મુખ્ય વાત નોંધી રાખી છે કે, મહાવીરને જન્મથી જ ત્રણ જ્ઞાને પ્રાપ્ત હતાં અને તેથી તેમને તેમના અતીત-અનામતની ખબર હતી, અને એ કારણે તે પોતે કેણુ છે, શું કરવા આવ્યા છે, અને શું કરવાનું છે ૧. તેમના શરીરને વર્ણ તપાવેલા ઉત્તમ સુવર્ણના જે હતા. છઠ્ઠા અને બારમા તીર્થંકર રક્ત વર્ણના હતા; આઠમા અને નવમા તીર્થંકર ગૌર વર્ણના હતા; વીસમા અને બાવીસમા તીર્થંકર યામ વર્ણના હતા; ૧૯મા અને ૨૩મા તીર્થંકર રાયણ વૃક્ષના વર્ણના હતા અને બાકીના ૧૬ ઉપર જણાવેલા મહાવીર જેવા વર્ણના હતા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy