SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી મહાવીર કથા કરાવવા ઈદ્રાદિ દેવ આવ્યા; અને અભિષેક બાદ બીજા મંગળાલેખન, પુષ્પવૃષ્ટિ, ધૂપ, આરતી-દીપ, નૃત્ય-રંગ આદિ કર્મો પણ દેવ–મનુષ્ય બંનેએ સાથે જ કર્યો. દેવની એ બધી પ્રક્રિયા દરમ્યાન કથાકાર એક રમૂજી પ્રસંગ કલ્પે છે. એટલા બધા દેવો એટલાં બધાં અભિષેકજળ લાવ્યા, કે ઈકને શંકા થઈ કે ભગવાનનું નાનું બાળસ્વરૂપ આટલો બધો પાણુને માર સહન શી રીતે કરશે? તે વખતે પ્રભુએ લીલામાત્રે વામચરણના અંગૂઠાથી મેરુપર્વતને દબાશે તેથી મેરુપર્વતનાં સર્વ શિખરો નમી ગયાં, પૃથ્વી કપાયમાન થઈ ગઈ અને સમુદ્રો ઊછળવા લાગ્યા. અચાનક થયેલો આ ઉત્પાત જોઈને “આ શું થયું? એમ ચિંતા કરતા કે અવધિજ્ઞાનથી જોયું તે પ્રભુના પરાક્રમની લીલા તેના જાણવામાં આવી. તેણે ભક્તિગગદ થઈને ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું, “હે ભગવન! અસામાન્ય એવું આપનું માહા... મારા જેવો સામાન્ય પ્રાણુ શી રીતે જાણું શકે?” સિદ્ધાર્થક્ષત્રિયે જન્મોત્સવના આનંદમાં પિતાના તાબાના સર્વ કેદીઓ છોડી મૂકષા, તથા સર્વ ત્રણ જનેને ત્રાણુ-મુક્ત જાહેર કરી પોતાના સર્વ લાગા માફ કર્યા. ઘરમાં તેમ જ બહાર દશ દિવસને ભારે મહત્સવ કરવામાં આવ્યો, તથા સર્વત્ર નાટયગીત-નૃત્યભજન-પાન વગેરેની હેલી મચી રહી. એ બધાં વર્ણને લૌકિક રૂઢિ અનુસાર હેઈ, તેમાં વિશેષ કાંઈ નેધવા પાત્ર નથી. નેધવા પાત્ર તો એ મુખ્ય બીના જ છે કે, ભગવાન તીર્થકરને જન્મ થયે હતા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy