SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પઃ શેલક રષિ થાવચાપુત્ર બલ્યા – હે શુક! મને યાત્રા છે, થાપનીય છે, અવ્યાબાધ છે, અને પ્રાસુવિહાર પણ છે.” શુક:– “હે ભગવન ! યાત્રા એટલે શું?” થાવસ્થાપુત્ર – “હે શુક! જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને સંયમ વગેરે માં તત્પરતા તે યાત્રા.” શુક – “હે ભગવન ! યાપનીય એટલે શું?” થાવાચ્ચા પુત્ર – “હે શુક ! ઈદ્રિયયાપનીય અને નેઇદ્રિયયાપનીય એમ યાપનીયના બે પ્રકાર છે. શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, જિહુવા અને સ્પર્શ એ પાંચે કોઈ પણ જાતના ઉપદ્રવ વિનાની ઇદ્રિયે મારા વશમાં છે તે મારું ઇદ્રિયયાપનીય છે. તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોના મારા સંસ્કાર કેટલાક તે ક્ષીણ થઈ ગયા છે અને કેટલાક શમી ગયા છે તે મારું નેઈદ્રિયયાષનીય છે.” શુક – “હે ભગવન ! અવ્યાબાધ એટલે શું?” થાવસ્થાપત્ર:“હે શુક ( વાત, પિત્ત કે કફ તથા તે ત્રણેના સન્નિપાત (મિશ્રણ) થી થતા વિવિધ રોગો મને ત્રાસ નથી આપતા એ મારું અવ્યાબાધ (પણું) છે.” શુક – “હે ભગવનપ્રાસુવિહાર એટલે શું?” થાવગ્નાપુત્રઃ– “હે શુક! બગીચાઓમાં, ઉદ્યાનમાં, દેવળમાં, પરબમાં, અને સ્ત્રી, પશુ તથા નપુંસકોથી રહિત વસ્તીઓમાં હું રહું છું એ મારે પ્રાસુકવિહાર છે.” શુકઃ– “હે ભગવન્! સરિસવયા ભક્ષ્ય છે કે અભક્ષ્ય ?” થાવગ્ગાપુત્ર – “હે શુક! તે ભક્ષ્ય છે તેમ જ અભક્ષ્ય પણ છે. જ્યારે તેને અર્થ સદશય (સરખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy